SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ દઈને પૂવલ જ હું તો કુલનામ જે છે તે તે વારે બીજી રાણીઓ શાકિનીની પેઠે દ્વેષ કરતી તેનાં છિદ્રો જોયાં કરે. એક દિવસ તે ચિત્રકારની પુત્રી મધ્યાહ્ન સમયને વિષે પોતાના મહેલના કમાડ દઈને પૂર્વલો ચિતારીનો વેષ પહેરી ચિંતવના કહે છે કે હે આત્મા ! તું વિવેકે કરી વિચાર. જે તું તો કુલનો ચિત્રકારની જાતિ છે. તારા બાપના ઘરનો વેષ તો આવો દરિદ્રી છે. આભૂષણ પ્રમુખ જે છે તે પણ સામાન્ય છે. એથી હે જીવ! તું કાંઈ માનમાં આવીશ નહીં, કારણકે એ સર્વ રુડાં જે વસ્ત્રાભૂષણ છે, તે પણ તારાં કાંઈ નથી. વલી હે ચેતન ! તું એમ પણ જાણીશ નહીં જે હું રાજાની રાણી છું. એ તો જ્યાં સુધી રાજા માનશે, તિહાં સુધી તું તેની રાણી છો. નહીં તો દાસી જેવી પણ તું નથી. વલી તું એમ પણ જાણીશ નહીં જે હું રૂપવંત છું, માટે મુજને રાજા માને છે, તે તારું રૂપ તે શી ગણતરીમાં છે ? તારાથી તો બીજી રાણીઓ તથા રાજાની પુત્રીઓ છે, તે ઘણીજ સ્વરુપવતી છે, સર્વ રાજાના કુલની છે. તેને મૂકીને રાજા તુજને આદર આપે છે, તે વિષે રખેને તું ગર્વ અહંકાર કરતો હો ! એ પ્રકારે નિત્ય પ્રત્યે મધ્યાહે કમાડ દઈને ચિત્રકારની પુત્રી પોતાના આત્માની નિંદા કરે, તે દેખીને બીજી રાણીઓ શોક્યપણે એનાં છિદ્ર જોતી હતી. તેણે એ છિદ્ર પામીને રાજાને જઈને કહ્યું કે હે રાજન્ ! તમે તમારા આત્માને રૂડી રીતે જાળવજો, કારણકે એક તો સ્વભાવે સ્ત્રીઓમાં કપટ ઘણું હોય છે, તો વલી તેમાં પણ નીચ જાતિની સ્ત્રીનું તો પૂછવું જ શું? માટે તમે ચિતારીનો વિશ્વાસ કરશો નહીં. એ એકાંતે કાંઈ કામણ ટુમણ કરે છે. તે સાંભલી રાજા પણ ચિંતવવા લાગ્યો છે એ શોક્યો છે. એના ગુણથી કદાપિ એની ઉપર દ્વેષ રાખતી હોય, તો તેમ પણ હોય. માટે કાને સાંભલ્યા માત્રથી કાંઈ કરવું નહીં. જે માટે કહ્યું છે કે : મા હોઠ સુગ્ગાહી, મપત્તિયં જં ન દિકિપચ્ચખે ! પચ્ચખૂમિ ય દિકે, જુત્તાજુd વિઆરિજ / ૧ / અર્થ - એકલું કાને સાંભળ્યું તેજ સાચું એમ જાણવું નહીં, જે પ્રત્યક્ષ નજરે ન દીઠું તેની સાંભળવાથી પ્રતીત કેમ થાય ? અને વલી જે પ્રત્યક્ષ દીઠું હોય, તેમાં પણ એ યુક્ત એ અયુક્ત એમ વિચારીને ખરા ખોટાનો નિર્ણય કરવો. માટે એ ચિતારાની પુત્રીનું સ્વરુપ છાના રહીને આપણી નજરે જોવાથી તથા કાને સાંભળવાથી જાણવાથી જાણવામાં આવશે. એમ વિચારી કોઈ પણ ન જાણે ૧૩૮ શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy