SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નગરની ખાલમાં ઉગેલો હતો, તે ઉંટના મુખથી ઘણોજ નીચો હતો માટે મુખ પૂગ્યું નહીં. તેવારે ઉંટે પૂંઠ ફેરીને માથે લીંડાં તથા મૂત્ર કરચાં ॥ ૬ ॥ ફરી સખીએ કહ્યું કે હવે બીજી કથા કહો. ત્યારે રાણીએ કહ્યું કે એક નગરમાં કોઈ દેવરત્ત નામે મોટો શેઠ હતો, તેણે એક દેરાસર કરાવ્યું. તે દેરું એક હાથનું ઉંચું કરાવી તેમાં ચાર હાથની પ્રતિમા બેસાડી, તો હે સિખ ! એક હાથના દેરામાં ચાર હાથની પ્રતિમાં કેમ બેઠી ? ત્યારે દાસીએ કહ્યું કે રાણીજી ! એ વાતનું મુજને પણ આશ્ચર્ય થાય છે, માટે તમે કહી સંભલાવો. રાણીએ ઉંઘ આવ્યાનું કહી બીજા દિવસ ઉપર રાખ્યું, અને રાજાએ બીજે દિવસે પણ વારો આપ્યો. બીજે દિવસે દાસીએ કહ્યું કે રાણીજી ! એ કથા પૂર્ણ કહો. રાણીએ કહ્યું કે હે મૂર્ખ ! તું એટલું પણ નથી સમજતી ? જે પ્રતિમાના ચાર હાથ હતા, પણ પ્રતિમા દેરાથી નાની હતી. વલી સખીએ કહ્યું, બીજી કથા કહો. રાણી બોલી કે એક સ્ત્રીને વિવાહ પ્રમુખ કારણ હતું, માટે બીજી કોઈ સ્ત્રી પાસેથી કડાં માગ્યાં, તે વારે તેણે રૂપીઆ ઠરાવીને આપ્યા. તેમાંથી કાંઈક રુપીઆ પહેલા લીધા. એમ કરતાં વિવાહ થઈ ગયા પછી કડાં આપનારીએ કડાં પાછાં માગ્યા, પણ તે પાછાં આપે નહીં. એમ કરતાં ઘણાં વર્ષ વહી ગયાં. એક દિવસ વલી પણ કડાં માગ્યાં. તે વારે તેણે કહ્યું કે આપું છું. એમ કહી કાઢવા માંડ્યું, પણ શરીર સ્થૂલ થયું, માટે હાથમાંથી કડાં નીકલે નહીં. તે વારે તે બોલી, કડાં તો નીકલતાં નથી, માટે તમારા રુપીઆ અધુરા બાકી દેવા રહ્યા છે, તે સુખે લ્યો. તે વારે તે બોલી, હું તો તે કડાં લઈશ. પહેલી બોલી, કડાંને માટે કાંઈ હાથ કપાય નહીં, હું તુજને એવાંજ કડાં કરાવી આપું. તોપણ તેણે માન્યું નહીં, અને તેજ કડાં પાછાં માગવા લાગી. ઈહાં રાણી સખીને કહે છે કે એનો નિવેડો કેમ થાય ? દાસી બોલી, તે તમેજ કહો. રાણીએ નિદ્રા આવવાનું કહી બીજા દિવસ ઉપર રાખ્યું. રાજાએ વારો આપી બીજે દિવસે દાસીના પૂછવાથી રાણીએ કહ્યું કે પહેલીએ એવો જવાબ આપ્યો કે મેં પણ તુજને જે રુપીઆ આપ્યા હતા, તેના તેજ રુપીઆ મને તું પાછા આપ, તો હું તુજને એનાં એજ કડાં પાછાં આપું, એ રીતે ઝગડો મટાડ્યો. એમ નિત્ય પ્રત્યે નવનવી કથાઓ કહેતાં રાજાની સાથે ભોગ ભોગવતાં છ મહીના વીતી ગયા. શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧૩૭ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy