SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જેણે જીવાડી તે કન્યાના બાપ તુલ્ય થયો, જે સાથે બલતો હતો તે ભાઈ તુલ્ય થયો, અને જે આહાર ત્યાગી બેઠો હતો તેને કન્યા આપવી. વલી દાસી બોલી, બીજો પણ કોઈ સુંદર દૃષ્ટાંત હોય તે કહો. ત્યારે વલી ચિતારી બોલી કે કોઈક નગરમાં રાજાની આજ્ઞાએ અંતે ઉરમાં આભૂષણ ઘડાવવા માટે બે સુવર્ણકારને ભોંયરામાં રાખ્યા. તે મણિરતના અજુવાલાથી કામ કરે. રાજા તેને બહાર નીકલવા આપે નહીં. તે બેમાંથી એક બોલ્યો. હે ભદ્ર ! હમણાં દિવસનો કયો વખત વર્તે છે ? તે સાંભલી બીજો બોલ્યો કે રાત્રિ પડી છે. ઈહાં દાસી પૂછવા લાગી કે હે સ્વામિની ! રતની જ્યોતિથી સર્વદા ઉદ્યોતમય સ્થાનકે રહેતાં થકા રાત્રિ પડી છે, એવું કેમ જાણવામાં આવ્યું? કારણ કે ચંદ્ર સૂર્યની તો ત્યાં ખબરજ નથી. ત્યારે રાણી બોલી કે હે સખિ ! આજે દહીં ઘણું સ્વાદિષ્ટ થયું હતું, તે અધિક પીધું છે, માટે નિદ્રા ઘણી આવે છે એમ કહીને સૂઈ ગઈ. રાજાએ વિચાર્યું જે એવી સરસ કથાઓ એ શાથી જાણતી હશે કે જેના ઉત્તર મને પણ આવડતા નથી ? માટે જો તેને હમણાં પૂછીએ તો આપણી લાજ જાય, તેથી આવતી રાતે વલી ઈહાંજ આવશું, એમ ચિંતવી સૂઈ રહ્યો. વલી ત્રીજો દિવસે પણ વારો આપ્યો. ત્રીજા દિવસની રાત્રિએ ફરી દાસીએ પૂછ્યું કે હે સ્વામિનિ ! કહો તે સોનીએ રાત્રિ છે, એવું કેમ જાણ્યું ? ત્યારે અનંગસુંદરી બોલી કે તે સોની રાહ્યંધો હતો. તે વખત દેખતો બંધ થયો તેથી તેણે રાત્રિ જાણી. ત્યારે સખી બોલી, વલી કોઈક સરસ કથા કહો. રાણી બોલી કે કોઈ એક નગરમાં બે ચોર રહે છે. એકદા બેહુ જણે વિચારવું જે કોઈ ધનવંતનું ઘર ફાડી ધન લઈ આવીએ. એમ ચિંતવી કોઈક ધનાઢ્યના ઘરમાં પેઠા. તિહાં જૂવે છે તો બાપ દીકરો બે જણ લેખું કરવા બેઠા છે, તેમાં એક કોડી પુરાંતમાં ઘટી પડી, તે માટે બાપે દીકરાના મુખ ઉપર ખાસડું મારયું. તે દેખી ચોરે નિર્વેદ પામીને વિચારવું કે જૂઓ, આ વાણીયાની જાતિ કેવી કૃપણ છે, જે એક કોડી માટે પુત્રને ખાસડું મારયું. કહ્યું છે કે આજાનુલંબિતમલીમસશાટકાનાં, મિત્રાદપિ પ્રથમયાચિતભાટકાનામ્ | પુત્રાદપિ પ્રિયતમૈકવરાટકાનાં, વજ્ર દિવઃ પતતુ મૂર્ધનિ રાટકાનામ્ || ૧ || શ્રી ચઉમાસીપર્વ ૧૩૩ www.jainelibrary.org Jain Education International 2010_03 For Private & Personal Use Only
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy