SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:- જે વાણીયે ઢીચણ સુધી લાંબું અને ઘણા મલે કરીને ભરેલું એવું પોતીયું પહેરવું છે, વલી જેણે પોતાના મિત્રની પાસેથી પણ પહેલાથીજ ભાડું માગ્યું એટલે ભાડું લીધા વિના મિત્રનું કામ પણ જે નથી કરતો, વલી જેને પોતાના પુત્રથી પણ કોડી વધારે વલ્લભ છે, એવા વાણીયાને માથે વજ પડો, જે માટે વાણીયાને ધન ઘણુંજ વહાલું હોય. તેથી એના ઘરમાંથી ચોરી કરશું તો હૈયું ફાડીને મરી જશે. તે માટે બીજે સ્થાનકે જ્યાં દ્રવ્ય હોય, તિહાં જઈએ. એવું વિચારી તિહાંથી નીકલી કોઈ વેશ્યાને ઘેર ગયા. ત્યાં જઈ જૂવે છે તો કોઈ કોઢીઓ પુરુષ બેઠો છે તેને વેશ્યા કહે છે કે તું મારો સ્વામી પરમદેવ બરાબર છો, પ્રાણધાર છો, મારા પ્રાણ તે તારાજ છે. એવી કોઢીઆ ઉપર લંપટ થતી દેખીને ચોરે વિચારવું, જે પણ મહા કષ્ટ દ્રવ્ય એકઠું કરે છે, માટે એ દ્રવ્ય પણ લેવું યુક્ત નથી. તો રાજાને ઘેર જઈ ચોરી કરવાનો નિશ્ચય કરી ભંડાર ફાડી દ્રવ્ય લઈને નીકલતાંજ ચોકી કરનારાએ પકડ્યા. રાજા પાસે લઈ આવ્યા, રાજાએ પણ ધન પાછું લઈ ચોરોને એક પેટીમાં ઘાલીને પેટી નદીમાં તણાતી મૂકી દીધી. વહેતી થકી કેટલેક દિવસે કાંઠે આવી. તે કોઈ એકે દેખીને ધનની લાલચે બહાર કાઢી, અને ઉઘાડી જોઈ તો માંહે બે મનુષ્ય દીઠા. તેને લોકે પૂછ્યું કે કેટલા દિવસ તમોને પેટીમાં રહેતાં થયા. તે વારે એક બોલ્યો કે આજ ચોથો દિવસ થયો. એટલું કહી રાણી સખી પ્રત્યે કહેવા લાગી કે હે ખિ! પેટીમાં બેઠાં થકા ચોથો દિવસ એણે કેમ જાણ્યો ? ત્યારે સખી બોલી કે અમે મૂર્ખ માણસ શું જાણીએ ? એ તમેજ કહો. તે વારે રાણી બોલી કે હે સખિ ! આજ દિવસે મધ્યાહ્ન સમયે મેં નિદ્રા કરી નથી તેથી હમણાં ઉંઘ આવે છે, માટે તે કાલે કહીશ. એમ કહીને સૂઈ ગઈ. રાજાએ વિચારવું એનો ઉત્તર સાંભલવો જોઈએ, પણ પૂછીશ તો લજ્જિત થઈશ, એમ વિચારી ચોથે દિવસે વલી ઉત્તર સાંભલવાને અર્થે તેને વારો આપ્યો. ચોથે દિવસે રાત્રિએ દાસી બોલી કે હે સ્વામિનિ ! ચોરે ચોથો દિવસ શી રીતે જાણ્યો? તે કૃપા કરીને કહો. તે વારે રાણી બોલી કે તેને ચોથીયો તાવ આવતો હતો, તેને અનુસારે જાણ્યું. દાસી બોલી, બીજી કોઈ ચમત્કારીક કથા કહો, કેમકે ચતુર લોકોના દિવસ તો ભણતાં સાંભલતાંજ જાય છે. ૧૩૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only શ્રી ચઉમાસીપર્વ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy