SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ એકલોજ છે, તેમાંથી તે પેલા ઘણા છોકરાવાલા ચિતારાઓના જેટલું કામ શી રીતે થઈ શકશે ? તેથી તે ત્રીજો મૂર્ખ જાણવો, અને ચોથા મૂર્ખ તમે છો, કેમકે તમે એટલો વિચાર ન કરવો, જે આ ભીંત ઉપર ખરેખરું મોરપીછ તે કેમ રહી શકે ? એમ સત્યાસત્યનો વિચાર ન કરતાં તમે મોરપીછ લેવા ગયા. એવું સાંભલી રાજા વિચારવા લાગ્યો કે આ ચિતારાની દીકરીએ ત્રણ મૂર્ખના પાયામાં ચોથો મુજને ગણ્યો, માટે એની બુદ્ધિનો વિલાસ ઘણો છે. અહો! એની વચન ચાતુરી તો જૂઓ, કેવી સારી છે ? વલી એનું રુપ પણ અત્યંત અદ્ભુત છે, માટે જો પરણવી તો મારે એનેજ પરણવી. બાલાદપિ હિત ગ્રાહ્ય-મમેધ્યાપિ કાંચનમ્ ॥ નીચાદચ્યુત્તમાં વિદ્યાં, સ્ત્રીરત્ન દુષ્કુલાપિ ॥ ૧ || અર્થ:- બાલક થકી પણ હિતની વાત ગ્રહણ કરવી, વિષ્ઠામાંથી પણ સોનું ગ્રહણ કરવું, નીચ જનની પાસેથી પણ ભલી વિદ્યા ગ્રહણ કરવી, નીચ કુલથી પણ સ્ત્રીરત ગ્રહણ કરવું, માટે રુડી બુદ્ધિ આપે તેહીજ પંડિત તો હવે એ કન્યા બુદ્ધિવંત છે, માટે મારે તેનેજ પરણવી. એવો વિચાર કરી પ્રધાનના મુખે ચિતારાને જણાવ્યું, ચિતારાએ હાકારો કયો, પણ એવું કહ્યું કે રાજાને દાયજો આપવા માટે મારી પાસે કાંઈ પણ ધન નથી, તેથી લાચાર છું. ત્યારે રાજા સર્વ ખરચ માથે લઈ મોટો મહોત્સવ કરી કન્યા પરણ્યો. તેને રહેવા સારુ જૂદો આવાસ આપ્યો. તેમાં તે સુખે સમાધે અહંકાર રહિત મનમાં પોતાની હલકી જાતિની નિંદા કરતી વસવા લાગી. એકદા રાજાનો વારો તેને ઘેર જવાનો આવ્યો. તે વારે સંપૂર્ણ શય્યાની તૈયારી કરી રાખી. રાજા પણ સંધ્યાનાં સર્વ કૃત્ય કરીને તેને ઘરે ગયો. ઢોલીએ બેઠો, તે વારે ચિતારીએ વિચારવું જે આ રાજાની પાંચસેં રાણીઓ છે. તેમાં મારો વારો ફરીને પાછો દોઢ વર્ષે આવશે. માટે કોઈ એવો ઉપાય કરું કે જેથી રાજા નિત્ય મારે ઘેર આવે. એમ વિચારી દાસીને કહ્યું કે જે વારે રાજાને નિદ્રા આવે, તે વારે તું મુજને કહેજે કે બાઈ સાહેબ ! કોઇક કથા કહો. એમ શીખવી મૂક્યું. પછી રાજાની સાથે સુખ ભોગવવા બેઠી. એવામાં દાસી બોલી કે હે સ્વામિની ! રાત્રિ મોટી છે, હજુર જાગે છે. તે માટે કોઈક મનને વિનોદકારી કથા કહો. રાણી બોલી, હે સખિ ! રાજાની નિદ્રાનો ભંગ થાય માટે હમણાં કથા કહેવી યુક્ત નથી. રાજાને નિદ્રા આવ્યા પછી કહીશું. શ્રી ચઉમાસીપર્વ ૧૩૧ www.jainelibrary.org Jain Education International 2010_03 For Private & Personal Use Only
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy