SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ તરિયવ્યા ય પધણી, મરિયવં સમરે સમચ્છેણં // અસરિસ જણ ઉલ્લાવા, ન હુ સહિયવા કુલસુએણે // ૧ / અર્થ- આપણે જે પઈણિ એટલે પ્રતિજ્ઞા કરી તે પ્રતિજ્ઞા તિરિયવ્યા એટલે પાલવી. કયા દૃષ્ટાંતે ? તો કે જેમ કોઈ સમચ્છેણે એટલે સામર્થ્યવાન્ સુભટ હોય તે સમરે એટલે સંગ્રામને વિષે મરવું વાંછે, પણ અસરિસ જણ એટલે નીચ જનોનાં માઠાં વચન જે ઉંબંભા, તે કુલસુએણે એટલે કુલસુત જે કુલપુત્ર હોય તેનાથી સહ્યાં ન જાય. એવો ગાથાનો અર્થ મનમાં ચિંતવીને વિચાર્યું, જે અહો ધિક્કાર હોજો મુજને ! જે હું દીક્ષા લઈ વિષયથી પરામુખ થઈને વલી પણ વિષયાદિકની વાંછના કરું છું! એ વાત મને યુક્ત નથી. મારે પણ સુભટની પેરે આચરણ કરવું. એમ વિચારી પાછો પોતાના ગચ્છમાં ગુરુ પાસે આવી ચારિત્ર પાલી સુખી થયો. એ ભાવનિવૃત્તિ ઉપર દૃષ્ટાંત કહ્યો // ૫ - હવે છઠ્ઠો નિંદા તે પોતાના આત્માની સામે પોતાના અવગુણ વિચારી પોતાના આત્માને નિંદવો. તે ઉપર ચિતારાની પુત્રીનો દષ્ટાંત કહે છે. જંબૂદ્વીપના ભારતમાં વસંતપુર નગરે શત્રુમર્દન રાજા એકદા સભા ભરી બેઠો છે, એવામાં એક બટુક આવ્યો, તેને રાજાએ આસન આપી બેસાડ્યો, અને તેને દેશ દેશનો ફરનારો જાણીને પૂછ્યું, કે હે બ્રાહ્મણ ! તું દેશોદેશ ફરે છે, માટે તે ક્યારે એવી વસ્તુ પરદેશમાં દીઠી છે, કે જે વસ્તુ મારા રાજ્યમાં ન હોય ? તે સાંભળી બટુકે ડહાપણથી ઉત્તર દીધો જે તે રાજા ! તમારી રાજ્યઋદ્ધિનું વર્ણન કરતાં અન્ય રાજાઓની વાતો તો વેગલી રહી, પરંતુ ઈદ્રની ઋદ્ધિ પણ તમારી ઋદ્ધિ આગલ તૃણમાત્ર છે, કેમકે ઈદ્રને તો ઉચે શ્રવા નામે એકજ અશ્વ છે, અને ઐરાવત નામે એકજ હાથી છે, અને તમારે તો અનેક હાથી ઘોડા છે, તથા મહાદેવને એકજ વૃષભ છે અને તમારે તો લાખો ગમે વૃષભ છે. તથા શ્રીકૃષ્ણને એકજ લક્ષ્મી છે, તમારે અનેક લક્ષ્મી છે. તેમજ કંદર્પને એક રતિ અને બીજી પ્રીતિ એ બેજ સ્ત્રીઓ છે અને તમારે તો એવી અનેક સ્ત્રીઓ છે. તથા સ્વર્ગમાં એકજ કામધેનું છે અને તમારે ક્રોડી ગમે ગાયો છે. ઈત્યાદિ વાતો સાંભલી રાજા બોલ્યો કે હે બટુક ! મેં કાંઈ તુને મારી પ્રશંસા કરવા બોલાવ્યો નથી, તેથી તુને જે હું પૂછું છું, તેનોજ ઉત્તર તું આપ. તે વારે બટુક બોલ્યો કે હે રાજન્ ! હું સાચું કહું છું કે તમારે બધી વસ્તુઓ છે, પણ સભાલોકમાં ચિત્ત શ્રી ચઉમાસીપર્વ ૧૨૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy