SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:- જે શ્રાવક ઉપયોગવંત થકા જે શ્રીવીતરાગે વિધિ કહ્યો છે, તે વિધિએ કરી પ્રભાતે અને સંધ્યાએ ઔષધની પેરે પડિક્કમણાનું સેવન કરે, તે પ્રાણી કર્મમલરુપ રોગ થકી રહિત થાય. હવે એ નિયમપૂર્વક અવશ્ય પડિક્કમણું કરવા આશ્રયી સાજણસિંહ શેઠનો દૃષ્ટાંત કહે છે. સાજણસિંહ શેઠ બે વખત અવશ્ય પડિક્કમણું કરતો હતો, તેને એકદા કોઈક અપરાધને લીધે પીરોજશાહ બાદશાહે બંદીખાને નાખ્યો. તિહાં શેઠ રખવાલા પુરુષને નિત્ય પચાસ સોનામોહોરો આપીને પડિક્કમણું કરતા હતા. એમ કરતાં કેટલેએક દિવસે રત્નોની પરીક્ષા કરવા માટે તેને બાદશાહે બોલાવ્યો. તે વારે શેઠે સભામાં આવી રહ્તોની બરાબર પરીક્ષા કરી આપી. જેથી બાદશાહે ઘણોજ ખુશી થઈ આદર સન્માન આપીને શેઠને ઘેર મોકલી દીધો. રાજાનો સત્કાર જોઈ રાજપુરુષો પણ બીતા થકા પ્રથમ શેઠની પાસેથી લીધેલી સોનામોહોરો સર્વ લઈને શેઠને પાછી આપવા આવ્યા. શેઠે કહ્યું કે અમે તમારી સહાયથી અમુલ્ય પડિક્કમણાં કરવાં, તેનાં ફલ આગલ આ સોનામોહોરો તે શી ગણતીમાં છે ? માટે તમે સુખેથી લઈ જાઓ. અમો તમોને ખુશીથી આપીએ હીએ. એ દૃષ્ટાંત કહ્યો. હવે એ આવશ્યક જે પડિક્કમણ, તેના આઠ પ્રકાર છે, તે કહે છે. પડિક્કમણા પંડિરયણા, પરિહરણા વારણા નિવીત્તિય નિંદા ગરહા સોહી, પડિક્કમણું અઠા હોઈ ।। ૧ ।। એ આઠ બોલ ઉપર આઠ દૃષ્ટાંત કહે છે । અદ્ધાણે પાસએ દુદ્ધ, કાવડી વિસભોયણા ।। દો કન્ના ચિત્તપુત્તી ય, પઈમારિય વચ્છએ // ૧ || પ્રથમ પડિક્કમણું એટલે અતિચાર થકી નિવńવું તે ઉપર માર્ગને વિષે બંધાવેલા રાજાના ઘરનો દૃષ્ટાંત કહે છે ઃ- જેમ કોઈક રાજાએ અદ્ધા તે અધ્યા એટલે માર્ગ તેને વિષે ઘર કરાવ્યાં. કારીગરે સરખી દોરી દીધી. જે માર્ગ ચાલવાનો હતો, તે છોડી ને બીજો માર્ગ કરચો, અને જ્યાં ઘર દોરી દીધી છે તિહાં કોઈ એક બે જણ ગામડાના રહેવાસી હતા, તે વાટે વહેતાં પાધરે દીઠે માર્ગે પેઠા. તિહાં રાજાના ચાકર રખવાલા બેઠા છે. તેણ દૂરથી આવતા દેખીને કહ્યું, જે તમે બીજે માર્ગે જાઓ, પણ તે બે જણમાંથી એક જણ હઠ કદાગ્રહી શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧૨૫ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy