SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પાલી દેવતાની ગતિ પામીને જો મુજને પ્રતિબોધ દેવા આવે, તો હું દીક્ષા લેવાની આજ્ઞા આપું. તે વારે પોટિલાએ કબૂલ કરી દીક્ષા લઈ પંચ મહાવ્રત આદર્યો. શુદ્ધ મને ચારિત્ર પાલી સમાધે કોલ કરીને દેવતાપણે ઉપની. હવે મહેતાએ રાજાની રાણી સાથે મળીને રાજાનો એક પુત્ર જન્મ થકીજ છાનો રાખ્યો, તેને પોતાને ઘેર મોટો કરી સર્વ કલા શીખવી હુશિયાર કરયો. એમ કરતાં કેટલેક દિવસે તે કનકતુ રાજા મરણ પામ્યો, તે વારે મહેતાએ કનકધ્વજ કુમરને રાજગાદીએ બેસાડ્યો. રાજકાજ સર્વ મહેતાને હાથ થયું. તિહાં રાજકાજમાં મગ્ન થકો તે મહેતો ધર્મ કરવાની વાત સર્વ ભૂલી ગયો. તે અવસરને વિષે પોટિલાનો જીવ દેવપણે ઉપન્યો છે, તેણે મહેતાનું એવું સ્વરુપ જોઈને પ્રતિબોધવા સારુ રાજાદિક સર્વ લોકનું મન મહેતા ઉપરથી ઉતારી નાખ્યું. પ્રભાતે મહેતો રાજાની સભામાં ગયો, રાજાને સલામ કરી તે વારે રાજા એ મોટું આડું ફેરવ્યું. તેથી સભા માંહે કોઈએ પણ મહેતાને બોલાવ્યો નહીં, તે જોઈ મહેતાએ જાણ્યું જે આજ મારી ઉપર રાજા રીસાયો છે. પછી પોતાને ઘેર આવીને મરવાના અનેક ઉપાય કરવા માંડ્યા, પણ તે દેવતાએ સર્વ નિષ્ફલ કરી નાખ્યા, તે વારે મહેતો મનમાં વિલખો થયો. તે વખત દેવતા પ્રગટ થઈને પ્રધાનને કહેવા લાગ્યો કે અરે મહેતા ! સંસારનું સ્વરૂપ એવું છે, કોઈ કોઈનું નથી, સહુ કોઈ સ્વાર્થનાં સગાં છે ઈત્યાદિક દેવતાનાં વચન સાંભલી પ્રધાન પ્રતિબોધ પામ્યો, દેવતા પોતાને સ્થાનકે ગયો. મહેતાએ પણ સંસાર અસાર જાણી સર્વ ઋદ્ધિ છાંડીને દીક્ષા લીધી. સાધુપણું પાલતાં દુષ્કર તપ કરી સર્વ પાપ ટાલી કેવલજ્ઞાન પામ્યો. એ પચ્ચખાણ ઉપર તેટલીપુત્રનો દૃષ્ટાંત કહ્યો | ૮ | એ પ્રથમ સામાયિક પદ વખાણ્યું. હવે આવશ્યક પદ કહે છે. જે બે ટંક અવશ્યપણે કરવું, તેને આવશ્યક કહીએ. જે થકી પાપ વેગલાં જાય તેનાં ફલ કહે છે. આવસ્સએણ એએણ, સાવ જઈવિ બહુરઓ હોઈ // દુફખાણમંત કિરિઍ, કાહી અચિરણ કાલેણ / ૧ / અર્થ જો શ્રાવક ઘણાં પાપે કરી સહિત હોય તોપણ તે ઉભય કાલ પડિકકમણાં કરતો ચકો તત્કાલ પોતાનાં પાપનો નાશ કરે. વલી કહ્યું છે કે આવસ્ય ઉભયકાલા, ઓસહમિવ જે કરંતિ ઉજ્જુત્તા // જિણવિજ્જ કહિય વિહુણા, અકમ્મરોગા ય તે હુતિ / ૧ // શ્રી ચઉમાસીપર્વ ૧૨૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy