SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાની કલા દેખાડવા સારુ વાંસ ઉપર ચઢી અનેકતરે રમવા લાગ્યો, અને નાટકીઆની પુત્રી હેઠલ વાંસની પાછલ ઉભી થકી ગીત ગાય છે, ઢોલકી વજાડે છે, એટલામાં રાજા પણ નટની પુત્રીનું રુપ દેખી મોહ પામ્યો થકો મનમાં વિચારે છે, જે આ નટવો વાંસ ઉપરથી જો નીચે પડી મરણ પામે, તો આ નટવીને હું મારા અંતેઉરમાં લઈ જાઉં. હવે ઈલાચીપુત્રે વાંસ ઉપરથી ઉતરીને રાજાની સલામ કરી દાન માગવા માંડ્યું, ત્યારે રાજાએ કહ્યું કે મેં તારું નાટક બરાબર જોયું નહીં, માટે તું ફરીથી વાંસ ઉપર ચઢ. એમ ત્રણ વાર નાટક કરવા વાંસ ઉપર ચઢાવ્યો. એવા અવસરમાં એક મુનિરાજે આહારને વાસ્તે કોઈ એક ભાગ્યવંત શેઠને ઘેર આવી ધર્મલાભ દીધો. તે વારે તે શેઠની સ્ત્રી રંભા સરખી સર્વ શણગારે કરી શોભિત થઈ થકી ઉઠીને રુડા ભાવથી સાધુને વંદના કરી મોદકનો થાલ ભરી વહોરાવે છે, અને સાધુ પણ નીચી દૃષ્ટિ રાખી આહાર વહોરે છે, પરંતુ તે સ્ત્રીની સામી લગાર માત્ર પણ નજર કરતો નથી, એવું મહામુનિરાજનું સર્વ સ્વરુપ વાંસ ઉપર ચઢેલા ઈલાચીએ દીઠું. તે વારે મનમાં વિચારવા લાગ્યો કે અહો ! હું મોહજાલમાં પડ્યો, પણ મારો તો એકે અર્થ સરચો નહીં. એમ વૈરાગ્ય આણી અનિત્યભાવના ભાવતો ઘાતીકર્મ ક્ષય કરી કૈવલજ્ઞાન પામ્યો. તે વારે દેવતાએ કેવલમહોત્સવ કરચો, તેને વાંસની લાકડીનું સિંહાસન બની ગયું. એવું દિવ્ય સિંહાસન દેખીને રાજાદિક નટવા નટવી સર્વ પ્રતિબોધ પામ્યાં. એ પરીજ્ઞા સામાયિકને વિષે ઈલાચીપુત્રનો દૃષ્ટાંત કહ્યો || ૭ || હવે આઠમું પ્રત્યાખ્યાન સામાયિક, તે પરિહરવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરવો, તેના ઉપર તેતલીપુત્રનો દષ્ટાંત કહે છે ઃ- તેતલીપુર નગરને વિષે કનકકેતુ નામે રાજા છે, તે રાજ્યને લોભે કરી જેટલા પોતાને પુત્ર આવે, તેને મારી નાખે, તે રાજાનો તેતલીપુત્ર નામે મહેતો છે, તેને પોટિલા નામે સ્ત્રી ઘણી વલ્લભ છે. એકદા પ્રસ્તાવે પોતાની પોટિલા સ્ત્રીને અણમાનેતી કરી તેથી તેને બોલાવે ચલાવે નહીં. એક દિવસે તેને ઘેર કોઈ સાધ્વી આહારને અર્થે આવી, તે વારે પોટિલા સ્ત્રીએ સાધ્વીને કહ્યું કે હે સાધ્વીજી ! મુજને ભરતાર વશ કરવાનો ઉપાય બતાવો. ત્યારે સાધ્વીએ કહ્યું કે તમે ધર્મસેવન કરો, જેથી તમારા સર્વ મનોરથ ફલશે. તે વારે પોટિલાએ સંસારથી વિરક્ત થઈ વૈરાગ્ય પામી પોતાના સ્વામી પાસે દીક્ષા લેવાની આજ્ઞા માગી. ત્યારે તેને મહેતાએ કહ્યું કે તું સાધુપણું શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧૨૩ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy