SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ છઠું અનવદ્ય સામાયિક તે નિષ્પાપ આચરણ ઉપર ધર્મરુચિ સાધુનો દૃષ્ટાંત કહે છે. એકદા સમયે ધર્મઘોષ આચાર્યનો શિષ્ય ધર્મરુચિ નામે સાધુ માસક્ષમણને પારણે નગરમાં આહારને અર્થે ફરતો થકો રોહિણી નામે બ્રાહ્મણીને ઘેર ભિક્ષાને માટે પેઠો. તે વારે રોહિણી બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક કર્યું હતું. તેને વિષપ્રાય જાણીને ધર્મના દ્વેષથી સાધુને વહોરાવી દીધું. સાધુ સ્વસ્થાનકે લઈ આવ્યો, અને ગુરુને દેખાડ્યું. ગુરુએ પણ વિષપ્રાય જાણીને કહ્યું કે એ આહાર નિરવદ્ય ઠંડિલે પરઠવો. તે વારે ધર્મચિ સાધુ પણ નિરવદ્ય ઠંડિલે જઈને પાનું ધરતીએ મૂક્યું, તે પાગું મૂકતાંજ તેમાંથી છાંટો ઉછલ્યો તેની ઉપર ઘણી કીડીઓ વલગી. તે મરણ પામી જાણીને પાપ થકી બીક પામતો થકો સર્વ જીવાયોનિ સાથે ખમાવીને તિહાંજ બેસી તે કડવી તુંબડીના શાકનું ભોજન કર્યું. એટલે તરતજ તેનું વિષ શરીરમાં પ્રસર્યું. તેના યોગથી સાધુ સમાધે મરણ પામીને દેવતાપણે ઉપન્યા. એ નિરવદ્ય તે નિષ્પાપ સામાયિક, તે ઉપર ધર્મરુચિ સાધુનો દૃષ્ટાંત કહ્યો | ૬ હવે સાતમું પરિજ્ઞા સામાયિક તે પાપનો ત્યાગ કરી વસ્તુતત્વને જાણે, તેની ઉપર ઈલાચીપુત્રનો દષ્ટાંત કહે છે. ઈલાવર્તન નગરે ધનદત્ત નામે શેઠ વસે છે, તેની ધનવતી નામે સ્ત્રી છે, તેને ઈલાદેવી સેવા કરતાં એક પુત્ર થયો, તેનું નામ ઈલાચી પાડ્યું. એક દિવસ તે નગરમાં નાટકીઆ રમવા આવ્યા, તેના ટોલામાં એક નટવાની પુત્રી મહાસ્વરૂપવાન્ હતી તેને દેખીને પૂર્વ ભવના સ્નેહથી તેની ઉપર મોહ પામ્યો. પછી તત્કાલ પોતાને ઘેર આવી પિતાને કહેવા લાગ્યો કે હે પિતાજી! મુજને નાટકીઆની બેટી પરણાવો, નહીં તો હું મરણ પામીશ, પણ બીજી કન્યાને નહીં પરણું. તે સાંભલી પિતાએ કહ્યું કે હે પુત્ર ! એ નીચ જાતિ છે, અમે તુજને ઉત્તમ રૂપવંત વ્યવહારીઆની કન્યા પરણાવીશું. એમ ઘણું સમજાવ્યો, તોપણ તે પુત્ર માન્યું નહીં. તે વારે ધનદત્ત શેઠે જાણ્યું કે આ કાંઈ કોઈ રીતે માનશે નહીં, એમ જાણી તે શેઠે મોટા નટ પાસે તેની બેટી માગી. તે વારે નટે કહ્યું કે જે અમારી નાચવાની કલા શીખી, તેમાંથી દ્રવ્ય એકઠું કરી અમારી નાતને પોષે, તેને અમે અમારી બેટી પરણાવીએ. એ વાત સર્વ ઈલાચીપુત્રને તેના પિતાએ કહી તે સર્વ વાત પુત્રે અંગીકાર કરી. હઠ કરી ઘરમાંથી નીકલી નટોની સાથે જઈ નટોમાં મલી સર્વ કલાઓ શીખી હુંશિયાર થયો. પછી કેટલેએક કાલે નટવા સાથે બેનાતટ નગરે ગયો, તિહાંના રાજાને ૧ ૨૨ શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy