SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે ઉપશમ તે ઉદય પામેલા ક્રોધનું ઉપશમન, વિવેક તે સદસકસ્તુનું વિવેચન, સંવર તે રુડે પ્રકારે આશ્રવજલાદિનું નિવારણ કરવું, તે ધર્મ કહેતા હતા. તે સાંભલી ચિલાતીપુત્ર એ ત્રણ પદનો અર્થ વિચારવા લાગ્યો, વિચારતાં વિચારતાં તે માંહેલો એક ગુણ પણ પોતાના આત્મમાંહે દીઠો નહીં, તે વારે કન્યાનું મસ્તક તથા ખગને વેગલાં મૂકી સમપરિણામ આદરીને તે મુનિરાજનાં પગલાં જિહાં હતાં, તે ઉપર પોતાના પગ મૂકીને કાઉસ્સગ્ગ ધ્યાને ઉભો રહ્યો, તિહાં લોહીની ગંધ થકી કીડીઓ તથા ઘીમેલો આવીને તેને કરડવા લાગી, તેણે કરી તેનું સર્વ શરીર ચાલણી સરખું થઈ ગયું, તોપણ સમતા પરિણામ રાખ્યો. ત્રીજે દિવસે કાલ કરીને દેવલોક ગયો. એ થોડા અક્ષરમાં ઘણું તત્ત્વ જાણવું, તે ઉપર ચિલાતીપુત્રનો દૃષ્ટાંત કહ્યો છે ૪ | હવે પાંચમું સંક્ષેપ સામાયિક તે થોડા અક્ષરનો ઘણો અર્થ કહેવો, તે ઉપર લૌકિકાચાર પંડિતોનો દૃષ્ટાંત કહે છે. વસંતપુરને વિષે જિતશત્રુ નામે રાજા હતો. તેને એક દિવસ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ, તે વારે ચાર પંડિતોને બોલાવીને કહેવા લાગ્યો, જે મુજને શાસ્ત્ર સંભલાવો. તેને પંડિતોએ કહ્યું કે ઠીક છે, શાસ્ત્ર અમારી પાસે હાજર છે, રાજાએ પૂછ્યું કે તમારી પાસે કેટલુંક શાસ્ત્ર છે? પંડિતોએ કહ્યું કે અમારી પાસે ચાર લક્ષ ગ્રંથ છે. વલી રાજાએ કહ્યું કે એટલું શાસ્ત્ર સાંભળવાની મને ફુરસદ નથી. તે વારે ચારે પંડિતોએ સારભૂત માત્ર એક શ્લોક બનાવીને રાજાને કહ્યો, તે બ્લોક કહે છે જીર્ણભોજનમાત્રેયઃ કપિલઃ પ્રાણિનાં દયામ // બૃહસ્પતિરવિશ્વાસમ, પંચાલઃ સ્ત્રીપુ માર્દવમ્ / ૧ / પ્રથમ આત્રેય પંડિત બોલ્યો કે હે મહારાજ ! પ્રથમનો કરેલો આહાર પચ્યા વિના એટલે જન્મ્યા વિના બીજો આહાર કરવો નહીં, એ વૈદ્યક ગ્રંથનો પરમાર્થ છે. હવે બીજો કપિલ પંડિત બોલ્યો કે સર્વ જીવની ઉપર દયા રાખવી, એ ધર્મશાસ્ત્રનો પરમાર્થ છે. ત્રીજો બૃહસ્પતિ પંડિત બોલ્યો કે વિશ્વાસ કોઈનો રાખવો નહીં, એવો ન્યાયશાસ્ત્રનો સાર છે, તે વારે ચોથો પંચાલ પંડિત બોલ્યો કે સ્ત્રીજાતિ ઉપર કોમલ સ્વભાવ રાખવો, પણ સ્ત્રીનો અંત લેવો નહીં, એ કામશાસ્ત્રનું રહસ્ય છે. એમ અક્ષર થોડા અને તેમાં રહસ્ય ઘણું સમજાય, એવી રીતે દ્વાદશાંગીનું સારપ જાણવું તે સંક્ષેપ સામાયિક જાણવું . પ // શ્રી ચઉમાસીપર્વ ૧ ૨ ૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy