SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ - તિહાં ક્રમે કરી આઠે પ્રકારનાં સામાયિકમાં આઠ દૃષ્ટાંતરૂપ કથા કહે છે. તેમાં પ્રથમ સમભાવ સામાયિક ઉપર દમદંત રાજાનો દૃષ્ટાંત કહે છે હસ્તિશીર્ષ નામે નગરને વિષે દમદંત રાજા રાજ્ય કરે છે, તિહાં એકદા પ્રસ્તાવે હચ્છિણાપુરના સ્વામી પાંડવ કૌરવ તેની સાથે સીમાડાના રજવાડાની મોટી વઢવાડ થઈ, તે વખત દમદંત રાજા જરાસંઘ રાજાની સેવા કરવા ગયો હતો, પાછલથી પાંડવ કૌરવે દમદંત રાજાનો દેશ ઉજ્જડ કરચો, તે વાત સાંભલીને દમદંત રાજા મોટું લશ્કર લઈને હચ્છિણાપુર ઉપર લડવા આવ્યો. તિહાં આવી પરસ્પર મોટો સંગ્રામ કરવો, તેમાં દૈવવશે કરી કૌરવ પાંડવ હારીને નાસી ગયા, અને દમદંત રાજા જીત કરીને પોતાના દેશમાં આવ્યો. પછી એક દિવસે પોતે ગોખમાં બેઠાં પંચવર્ણી વાદલાનું સ્વરુપ જોઈને મનમાં વૈરાગ્ય પામી વિચારવું જે આ સંસાર પણ પવનસમયના વાદલ સમાન અસાર છે, એમ જાણી તરત પ્રત્યેકબુદ્ધની પેઠે દીક્ષા લીધી. પછી તે ગામાનુગામ વિહાર કરતાં થકા એક દિવસ હચ્છિણાપુર નગરની બહાર આવી કાઉસ્સગંધ્યાને ઉભો રહ્યો. તિહાં પ્રસ્તાવે રાજવાડીમાં જતાં રસ્તામાં પાંડવોએ દમદંત મુનિરાજને કાઉસ્સગ્ગ ઉભા દીઠા, તે વારે લોકોના મુખથી એ દમદંત રાજા છે, એમ જાણીને પાંડવોએ ઘોડા ઉપરથી નીચે ઉતરી શુભ ભાવે કરી ત્રણ પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરવું અને તે પછી તે મુનિનું રાજ્યાવસ્થાનું બલ તથા ચારિત્રબલને જોઈ સ્તુતિ કરીને તિહાંથી ગયા. પાછલથી કૌરવો આવ્યા, તે વારે તમાં મોટેરા દુર્યોધને તે મુનિને તિરસ્કારપૂર્વક માઠાં વચન ઉચ્ચારીને તેમના સામું એક બીજોરું ફેંક્યું. પછી “યથા રાજા તથા પ્રજાઃ” એવા ન્યાયથી બીજા સૈનિક લોકો તથા નગરના લોકો જે કૌરવોની સાથે હતા, તેણે પણ મુનિની સામા લાકડાં પથરા ફેંકીને મુનિની ચોતરફ ઓટલો કરી દીધો, તેથી મુનિનું શરીર બધું ઢંકાઈ ગયું. પછી ફરી પાંડવો જે વારે રાજવાડીથી પાછા વલી ઘેર જતા હતા, તે વારે મુનિની ઉપર ઓટલો થયેલો હતો, તેથી ઢંકાઈ જવાને લીધે મુનિને દીઠા નહીં, તે વારે લોકોને પૂછવા લાગ્યા કે ઈહાંથી મુનિ કિહાં જતા રહ્યા ? ત્યારે તેમને લોકોએ કૌરવોની સર્વ દુશ્ચેષ્ટા કહી સંભલાવી, તે વારે તુરત સેવકોને કહીને પથરા લાકડાં વેગલાં કરાવી મુનિરાજને બહાર કાઢી, નમસ્કાર કરીને પાંડવો પોતાને સ્થાનકે ગયા. એવી રીતે મુનિરાજને પાંડવોએ માન આપ્યું અને કૌરવોએ અપમાન કરવું શ્રી ચઉમાસીપર્વ ૧૧૭ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy