SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ એવો પ્રશ્ન પૂછવાથી ભગવાને તિહાં તેનાં ઘણાં ઉત્તમ ફલ કહ્યાં છે, તે વિસ્તાર લખતા નથી. વલી સામાયિક કરતાં થકા સાવદ્ય વ્યાપારનો ત્યાગ થાય, માટે સામાયિક શ્રેષ્ઠ છે, તથા સામાયિક કરનારને માત્ર પૂજનાદિકને વિષે પણ અધિકાર નથી, એટલે સામાયિકરુપ ભાવસ્તવ પ્રાપ્ત થયે છતે તેને અધિકાર નથી, અર્થાત્ પછી દ્રવ્યસ્તવ કરણની યોગ્યતા નથી. તે સામાયિક ઉદય આવવું મહા દુર્લભ છે, જે માટે દેવતા પણ પોતાના હૃદયમાં સામાયિકની સામગ્રી મેલવવા વાંછે છે, જે એક મુહૂર્ત માત્ર સામાયિક કરવું મુજને ઉદય આવે, તો મારું દેવપણું સફલ થઈ જાય. એ માટે શ્રાવકે પણ શુદ્ધ સામાયિક કરવું. તે સામાયિકના કરનારા શ્રદ્ધાળુ બે પ્રકારના હોય, એક ઋદ્ધિહીન અને બીજા ઋદ્ધિવંત, તિહાં જે ઋદ્ધિવંત હોય તે મોટા આદર સહિત ઉપાસરે આવીને સામાયિક કરે, લોક માંહે શ્રીજિનધર્મનો મહિમા વધારે, અને જે ઋદ્ધિહીન હોય તે ઉપાસરે અથવા પૌષધશાલાએ અથવા જિનમંદિરે અથવા પોતાના ઘરમાં એકાંત સ્થાનકે બેસીને સામાયિક કરે. હવે એ સામાયિકનાં આઠ નામ છે, તે કહે છે - સામઈયં સમઈયું, સમંવાઓ સમાસ સંખેવો // આણવજં ચ પરિણા, પચ્ચક્કાણે ય તે અઠા / ૧ / અર્થ - પ્રથમ સમતાભાવ રાખવો, તે સમભાવ સામાચિક જાણવું, બીજું સર્વ જીવની ઉપર દયાભાવ રાખવો, તે સમયિક સામાયિક જાણવું ત્રીજું સમ તે રાગ દ્વેષને છાંડીને યથાવ્યવસ્થિત વચન બોલવું, તે સમવાદ સામાયિક જાણવું ચોથું સમાસ તે થોડાજ અક્ષરમાં તત્ત્વ જાણવું. તે સમાસ સામાયિક જાણવું, પાંચમું સંક્ષેપ તે થોડા અક્ષરમાં કર્મનાશ થાય, એવો દ્વાદશાંગીનો ઘણો અર્થ વિચારવો, તે સંક્ષેપ સામાયિક જાણવું, છઠું અનવધ તે પાપ રહિત સામાયિક આદરવું, તે અનવધ સામાચિક જાણવું, સાતમું પરિજ્ઞા તે તત્ત્વનું જાણપણું જે સામાયિકમાં હોય, તે પરિજ્ઞા સામાયિક જાણવું આઠમું પ્રત્યાખ્યાન તે પરિહરી વસ્તુનો ત્યાગ. કરવો, તે વસ્તુ આદરવી નહીં, એ પ્રત્યાખ્યાન સામાયિક જાણવું. એ આઠ નામ સામાયિકનાં કહ્યાં. હવે એની ઉપર આઠ દૃષ્ટાંત કહે છેઃ દમદંતે મેઅર્જ, કાલય પુચ્છા ચિલાઈપુત્તે ય // ધમ્મરુઈ ઈલા તેઈલી, સામાઈય અકુદાહરણ // ૧ / શ્રી ચઉમાસીપર્વ ૧૧૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy