SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તોપણ તે મુનીશ્વરે બેની ઉપર સમપરિણામ રાખ્યો, એ સમભાવ સામાયિક ઉપર દમદંત રાજર્ષિની કથા કહી. - હવે બીજું સમયિક સામાયિક તે દયાભાવ ઉપર મેતાર્ય મુનિનો દૃષ્ટાંત કહે છે - સાવચ્છિનગરીને વિષે યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ વસે છે. તેણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, પણ કુલનો મદ કરી સાધુપણું પાલીને દેવતા થયો. પછી તિહાંથી ચવી રાજગૃહી નગરને વિષે કુલમદના યોગે ચાંડાલના કુલમાં આવી ઉપન્યો, તે ચાંડાલી થકી જમ્યો, તે વારે તેજ નગરીમાં ધનદત્ત શેઠની સ્ત્રીને મૃતવત્સાપણાનો રોગ હતો, તેથી તેને સંતાન ન હોવાથી ગુપ્તપણે એટલે કોઈ પણ ન જાણે એવી રીતે ચાંડાલીણીએ આવી દ્રવ્ય લઈ પોતાનો પુત્ર આપ્યો. - પછી તે છોકરો અનુક્રમે શેઠને ઘેર મોટો થયો, તેનું નામ મેતાર્ય પાડ્યું. પછી યૌવનાવસ્થાને વિષે પૂર્વ ભવના મિત્ર એવા દેવની સહાય થકી આઠ કન્યા વ્યવહારીઆની તથા એક કન્યા શ્રેણિક રાજાની પરણ્યો. તિહાં બાર વર્ષ પર્યત દેવતાનાં જેવાં સુખ ભોગવી દેવતાનાં વચનથી પ્રતિબોધ પામીને શ્રી મહાવીરસ્વામી પાસેથી દીક્ષા લીધી. પછી ઘણા દેશે વિહાર કરતાં થકા એક દિવસ રાજગૃહ નગરને વિષે સોનીને ઘેર આહાર લેવા માટે સોનીના ઘરમાં પેઠો. એટલામાં શ્રેણિક રાજાને માટે દેવપૂજા સારુ એકસો ને આઠ સોનાના યવ ઘડીને સોનીએ મૂક્યા હતા, તેને ક્રૌચ પક્ષી આવી દાણાની ભ્રાંતે ખાઈને ભીંત ઉપર જઈ બેઠો, અને સાધુને શુદ્ધ આહાર આપીને સોની પણ ઘરથી બહાર આવ્યો. પછી પાછો જઈ જુવે, તો તિહાં તેણે સોનાનો એક પણ યવ દીઠો નહીં, તે વારે સાધુને ચોર જાણી સોનીએ પૂછ્યું કે ઈહાં યવ પડ્યા હતા, તે કોણ લઈ ગયો ? તે વારે સાધુએ મનમાં વિચાર્યું જે કૌચ પક્ષીએ ખાધા છે, એવું જો હું અને કહીશ, તો એ મારે વચને કરી પંખીને મારી નાખશે. એમ વિચારી મૌન પણું કરી રહ્યા. તેથી સોનીને ક્રોધ ચઢ્યો. તે વારે લીલી વાધરથી મુનિનું માથું બાંધ્યું, અને તડકે ઉભો રાખ્યો, તેની વેદનાથી મુનિની આંખો નીકલી પડી, તેથી ઘણીજ વેદના થઈ, પણ મન માંહે લગાર માત્ર વેષભાવ આપ્યો નહીં. શુક્લ ધ્યાને ચઢી અંતગડકેવલી થઈ મોક્ષે ગયા. એ રીતે પ્રાણાંત કષ્ટ પડે, તોપણ મનમાં જીવદયાજ ધારે, પણ શરીરની કાંઈ પણ દરકાર રાખે નહીં. એ સમયિક સામાયિક તે દયાપરિણામ ઉપર મેતાર્ય મુનિનો દૃષ્ટાંત કહ્યો. ૧૧૮ શ્રી ચઉમાસીપર્વ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy