SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશીલંગાચાર્યે આદર કરી કહેલું છે માટે બીજ, પાંચમ અને અગીયારશ એ જ્ઞાનતિથિઓ છે, તેથી એ તિથિઓ માંહે જ્ઞાનનું આરાધન કરવું. બાકી બીજી દર્શનતિથિઓ છે, તે માંહે સમ્યક્તનું આરાધન કરવું. અર્થાત્ સમ્યકત્વી જીવોએ મિથ્યાત્વ પરિહારે કરી દેવપૂજા ગુરુસેવા કરવી, વ્યાખ્યાન સાંભળવું, ધર્માનુમોદન કરવું, તીર્થયાત્રા કરવી, શ્રીજિનેશ્વરના કલ્યાણકની ભૂમિ ફરસવી ઈત્યાદિક બોલે પ્રવર્તીને પોતાનું સમકિત નિર્મલ કરવું. કહ્યું છે જમ્મ દિખા નાણું, તિચ્છયરાણં મહાભુભાવાણં // કચ્છ ય કિર નિવ્વાણું, આગાઢદંસણું હોઈ હવે પ્રથમ સામાયિકનું સ્વરુપ કહે છેઃ- સમસ્ય આયો લાભઃ સમાયઃ સ એવા સામાયિકં એટલે રાગ દ્વેષ રહિત એવા જીવને જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આય એટલે લાભ હોય તેને સામાયિક કહીએ. બે ઘડી પર્યત સર્વ ઈનિષ્ટ વસ્તુને વિષે સમ પરિણામ રાખે, સર્વ જીવને પોતાના આત્મા સમાન ગણે, તેને સામાયિક કહીએ. તેના ચાર ભેદ છે તે કહે છે, એક તો હું એટલો અમુક પાઠ ભણી સંપૂર્ણ મુખપાઠ કરીને ઉઠીશ, એવો નિયમ કરી બેસે, તે પ્રથમ શ્રત સામાયિક જાણવું. બીજું શુદ્ધ સમકિત પાલવું, તે સમકિત સામાયિક જાણવું. ત્રીજું દેશવિરતિ સામાયિક તે બે ઘડી પ્રમાણ જાણવું. તથા ચોથું સર્વવિરતિ સામાયિક, તે સાધુ મુનિરાજ પાલે છે. તે ચારિત્ર સામાયિક જાણવું. વલી શાસ્ત્રમાં કહ્યું છે કે : નિંદપસંસાસુ સમો ય, માણવાણકારીસું // સમ સયણપરજણ મણો, સામાઈય સંગઓ જીવો // ૧ // અર્થ- કોઈ આપણી નિંદા કરે, અથવા કોઈ પ્રશંસા કરે, કોઈ માન કરે, કોઈ અપમાન કરે, તોપણ સામાયિકમાં બેઠા સમતાપ શુભ પરિણામ રાખે, સ્વજન તથા પરજનની ઉપર સમભાવ રાખે, તે જીવ સામાચિકી જાણવો. જો સમો સવભૂસુ, તમેસુ થાવસુ ય / તસ્ય સામાઈયં હોઈ, ઈમ કેવલિભાતિયં // ૨ / સર્વ પ્રાણીમાત્ર જે ત્રસ તથા થાવર જીવો છે, તેને વિષે સમતા પરિણામ રાખે, તેને સામાયિક શુદ્ધ હોય. એ વાત કેવલી ભગવાને કહી છે. વલી સામાયિકમાં બેઠા થકા શ્રાવક પણ સાધુ સમાન હોય છે. કહ્યું છે કે : શ્રી ચમાસીપર્વ ૧૧૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy