SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ જાણવો. ત્રીજે ભાગે રુપ શુદ્ધ ચોખું, અને મુદ્રા ખોટી, એવા પ્રત્યેકબુદ્ધ જાણવા. ચોથે ભાંગે રુપ શુદ્ધ એટલે ખરું અને મુદ્રા પણ શુદ્ધ એટલે ખરી, એવા સાધુ મુનિરાજ જાણવા. એ ચાર ભાંગા માંહે સુશ્રાવકને ચોથો ભાંગો આદરવો. હવે જૈનમાર્ગીને જે નિત્ય ક્રિયા કરવી જોઈએ તે સામાન્ય કરી કહે છે. અનંતાનંત ભવભ્રમણભીરુ અને શ્રદ્ધાળુ એવા સુશ્રાવકોએ એક તો સાવદ્ય વ્યાપાર ન કરવો, વલી ફાગુન મહીનાથી માંડીને આઠ મહીના પર્યત તિલ આદે દઈને ધાન્ય સંગ્રહી રાખવાં નહીં, કારણ તેથી બહુ ત્રસ જીવની ઉત્પત્તિ અને નાશ થાય છે. બોલાનું અથાણું પ્રમુખ ન રાખવું. મહુડાં, બીલીનાં ફલ અને અરણી પ્રમુખનાં ફૂલ તથા સરગવાની શીંગનું બિલકુલ ગ્રહણ ન કરવું. એ અવશ્ય ત્યાગવાં. તથા ચોમાસામાં તાંદુલની ભાજી આજે દઈને પાપનું શાક ન ખાવું; કારણ કે બહુ સૂક્ષ્મ ત્રસ જીવ મિશ્રપણું છે માટે શ્રી હેમાચાર્યે કહેલું છે કે ફાગણ માસથી આરંભીને કાર્તિક પૂનમ પર્યત પ્રાયઃ પત્રશાક ન ખાવું. વલી ચલિત રસનું ફલ, બીજોરાનું ફલ, કાચું ફલ, તથા અજાણ્યાં ફલ ખાવાં નહીં. તથા બીજી પણ અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરવો. કહ્યું છે કે અજ્ઞાતફલ, અશોધિતપત્રશાક, સોપારી, મેલું ઘી એ સર્વનો માંસભક્ષણ સમાન દોષ છે. હવે વિશેષપણે ચોમાસાના પર્વની કરણી કહીએ છીએ. સામાયિકાવશ્યકપૌષધાનિ, દેવાચ્ચેનસ્નાત્ર વિલેપનાનિ બ્રહ્મક્રિયાદાનતપોમુખાનિ, ભવ્યાશ્ચતુર્માસિકમંડનાનિ / ૧ / અર્થ:- અહો ભવ્ય જીવો! સામાયિકાદિક ધર્મકૃત્ય કરવાં, એ ચોમાસાપર્વનાં મંડન એટલે ભૂષણ જાણવાં. અર્થાત્ એવાં ધર્મકાર્ય થકી ચોમાસું રુડું દેખાય છે, માટે તમારે જરુર તેનું સેવન કરવું. યદ્યપિ ચાતુર્માસિક ત્રણ છે, તોપણ જેના ઉદેશે કરી વ્યાખ્યાન છે, તેનું નામ ગ્રહણ કરવું. અહીં કોઈ પુરુષ સામાયિક કરે, કોઈ પડિક્કમણું કરે, કોઈ પોસહ કરે, દેવપૂજા કરે ઈત્યાદિક પોતાની શક્તિ પ્રમાણે ધર્મકાર્ય કરે, તેમાં કાંઈ વિરોધ નથી. તિહાં પ્રથમ પ્રત્યેક મહીનામાં તિથિ જોવી. જે ત્રણ પ્રકારે છે, કહ્યું છે કે “ચઉદસમુદિપુણમાસિણિત્તિ” તેમાં બે ચૌદશ, બે આઠમ, એક અમાવાસ્યા અને એક પૂનમ, એ છ પર્વતિથિ કહી છે, તથા ઉદિષ્ટા શબ્દ શ્રીજિનકલ્યાણક તિથિ અને પજોસણા તિથિ લેવી. એ ચારિત્રતિથિ છે. તેથી એ તિથિ માંહે ચારિત્ર આરાધવું, કારણકે ગીતાર્થ એવા શ્રી ચઉમાસીપર્વ ૧૧૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy