SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ {[૧૦] છે અથ ચઉમાસીપર્વનું વ્યાખ્યાન લિખતે સ્માર સ્માર ફુરઝાન, ધામ જૈનં જગન્મતમ્ // કારં કાર ક્રમાંભોજેગૌરવે પ્રણતિ પુનઃ / ૧ નિબદ્ધાં પ્રાર્નઃ પ્રાપ્શ-વશ્ય વ્યાખ્યાનપદ્ધતિમ / લિખ્યતે લેશતો વ્યાખ્યા, ચાતુર્માસિક પર્વણઃ // ૨ // શ્રીપાર્શ્વ સુખમાગાર, સ્માર સ્માર હૃદાંબુજે / વ્યાખ્યાન લિખતે રમ્ય, ચાતુર્માસિકપર્વણઃ // ૩ / અર્થ:- સર્વ જગતને પૂજ્યમાન, તથા જેનું જ્ઞાન સ્કુરતૂપ છે, એવું જિનરાજાનું ધામ જે મૂર્તિ, તેને વારંવાર સ્મરીને તથા ગુરુના ક્રમાંભોજે એટલે ચરણ-કમલને વિષે ફરી ફરી પ્રણામ કરીને તથા પ્રાચીન પંડિત લોકોએ કરેલી વ્યાખ્યાનની પદ્ધતિ જોઈને ચાતુર્માસિક પર્વની વ્યાખ્યા, હું લેશમાત્ર કહું છું . ૧, ૨ ને સુખના ભંડાર એવા ત્રેવીસમા જિન જે શ્રીપાર્શ્વનાથ, તેને મારા હૃદયકમલને વિષે વારંવાર સ્મરણ કરીને પૂર્વાચાર્યો જેવી રીતે ચૌમાસી પર્વની રચના કરી છે, તેને જોઈને મનોહર એવું ચાતુર્માસિક પર્વનું વ્યાખ્યાન યથામતિ લખું છું / ૩ / - તિહાં આષાઢ ચોમાસું, કાર્તિક ચોમાસું અને ફાલ્ગન ચોમાસું આવે થકે ધર્માર્થી શ્રાવકોને ભલે પ્રકારે ધર્મક્રિયા કરવી. જેમકે અન્યોન્ય સાપેક્ષ એવા વ્યવહારનય અને નિશ્ચયનય, તેણે કરી યુક્ત એવા શ્રીજિનશાસનને જાણી એકાંતવાદ નિરાકરણાર્થ આવશ્યક ગ્રંથોક્ત સમાહિતાક્ષર ચતુર્ભગ તુલ્ય દ્રવ્યભાવલિંગ કરી યુક્ત એવું ધર્મકૃત્ય સ્યાદ્વાદસચિવાલા લોકોએ કરવું. શ્રીઆવશ્યકસૂત્ર મધ્યે સિક્કાના ચાર ભાંગા કહ્યા છે, તે આ પ્રમાણે - પહેલે ભાંગે રુપ પણ ખોટું અને તેની ઉપર મુદ્રા પણ ખોટી, તે ચરક પરિવ્રાજક પ્રમુખનો ધર્મ જાણવો. બીજે ભાંગે રુપ ખોટું પણ મુદ્રા સાચી, એવા ઉસન્ના પાસત્કાદિકનો ૧૧ ૨ શ્રી ચઉમાસીપર્વ For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy