SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ દોષથી કેમ છુટીશ? ત્યારે જિનેશ્વરે કહ્યું કે રોહિણીનું તપ કર, તેથી સર્વ નિરાબાધ થશે. પછી તે રાજપુત્ર રોહિણીનું તપ કરવું. તેથી તેનું શરીર સુગંધિત થયું. માટે હે દુર્ગંધે ! તું પણ એ તપ કર. એના પ્રભાવથી સુગંધ કુમારની પેરે તારાં સર્વ દુઃખ નાશ પામશે. એવું સાંભલીને તે દુર્ગંધાએ રોહિણી તપ અંગીકાર કરવું. શુભ ધ્યાનથી તપસ્યા કરતાં આત્માની નિંદા કરતાં દુર્ગંધાને જાતિસ્મરણજ્ઞાન ઉપજ્યું. તેને યોગે પૂર્વલો ભવ સાંભરી આવ્યો. તેથી વલી વિશેષે તપ કરવા માંડ્યું. આયુ પૂર્ણ થયાથી શુભ ધ્યાને મરણ પામીને દેવલોકને વિષે દેવતાપણે ઉપની, ત્યાંથી ચવીને અહીં ચંપાનગરીને વિષે મઘવા રાજાની પુત્રી થઈ. તેનું રોહિણી નામ પડ્યું, તેને તમે પરણ્યા છો. એણે ઘણું દાન આપ્યું છે, તેથી તારી પટરાણી થઈ છે. એણે પૂર્વે રોહિણી તપ કરવું છે. તેના પ્રભાવથી દુઃખ તે વલી શી ચીજ છે ? એવું પણ એ જાણતી નથી. વલી ઉજમણું કરવું તેના પ્રભાવથી એ ઋદ્ધિ પામી છે. વલી હે રાજા ! તે સિંહસેન રાજાએ એ સુગંધ કુમારને રાજ્યપાટે સ્થાપી પોતે દીક્ષા લીધી. સુગંધ રાજા રાજ્ય પાલતો ધર્મકૃત્ય કરતો મરણ પામી દેવલોકે ગયો, તિહાંથી ચવીને પુષ્કલાવતી વિજયે પુંડરિગણી નગરમાં કેવલકીર્તિ રાજાને ઘેર અર્કકીર્તિ નામે ચક્રવર્તીપણે ઉત્પન્ન થયો. ત્યાં દીક્ષા લઈ બારમે દેવલોકે ઇંદ્રપણે ઉપન્યો. ત્યાંથી ચવીને અહીં તું અશોક નામે રાજા થયો છો. તારી રાણીએ અને તેં બેહુ જણે મલી પૂર્વે સરખું તપ કરવું છે, તે માટે તારો સ્નેહ એની ઉપર ઘણો છે. વલી રાજાએ પૂછ્યું કે હે સ્વામી ! મારી સ્ત્રીને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ, તે તેના કયા પુણ્યોદયથી થઈ ? તે વારે ગુરુ બોલ્યા, હે મહાભાગ્ય ! એમાંથી સાત પુત્ર તો પૂર્વલા ભવે મથુરા નગરીએ એક ભીખારી અગ્નિશર્મા બ્રાહ્મણ રહેતો હતો, તેને ઘેર પુત્રપણે ઉપન્યા હતા. તે દારિદ્રી કુલમાં ઉપન્યા, તેથી સાતે ભીખ માગવા જાય, પણ તેને કોઈ ઓટલે પણ બેસવા આપે નહીં. જ્યાં જાય ત્યાં ધક્કો મારી બહાર કાઢી મૂકે. એમ તે પુત્રો ગામો ગામ ફરતા, ભીખ માગતા માગતા એકદા પાડલીપુરે ગયા. તિહાં તેણે રાજાના પુત્રોને તથા પ્રધાનના પુત્રને દીઠા, તેથી મનમાં આશ્ચર્ય પામ્યા. તે વારે મોટા ભાઈએ કહ્યું જે આપણે પણ માણસ છીએ, અને એ પણ માણસ છે, પરંતુ આપણામાં અને એનામાં એટલું બધું અંતર કેમ છે ? તે સાંભલી નાનો ભાઈ બોલ્યો કે એણે શ્રી રોહિણીની કથા ૧૧૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy