SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ એકદા તિહાં જ્ઞાની ગુરુ પધારચા. તેમને શેઠે પૂછ્યું કે મહારાજ ! આ મારી પુત્રીને રોગ કેમ થયો ? તે વારે ગુરુએ તેના પૂર્વલા ભવ કહી સંભલાવ્યા. ફરી શેઠે પૂછ્યું કે હવે આ રોગ કેવી રીતે જાય? તેનો ઉપાય કહો. ગુરુએ કહ્યું કે આને સાત વર્ષ ને સાત માસ પર્યંત રોહિણીનું તપ કરાવ. તે આવી રીતે કે જે દિવસે રોહિણી નક્ષત્ર આવે, તે દિવસે ચઉવિહારો ઉપવાસ કરવો, અને ભાવ સહિત શ્રીવાસુપૂજ્ય ભગવાનની રત્નમય પ્રતિમાની પૂજા કરવી. તપ પૂર્ણ થયા પછી ભલી ભાંતે ઉજમણું કરવું. જો એમ કરાવશો તો સુગંધ રાજકુમારની પેઠે તેનાં સર્વ દુઃખો મટી જશે. તે વારે દુર્ગંધાએ પૂછ્યું, સુગંધ રાજકુમાર તે કોણ હતો ? તે મને કહો. ત્યારે ગુરુએ કહ્યું - સિંહપુર નગરમાં સિંહસેન રાજા, તેની કનકપ્રભા રાણી, તેમને એક પુત્ર થયો તે અતિશય દુર્ગંધ હતો, તેથી તે સર્વને અપ્રિય થયો. એક વખતે તે નગરીમાં પદ્મપ્રભસ્વામી સમોસરણ્યા. ત્યાં કુટુંબ પરિવાર સહિત જઈ રાજાએ કરાંજલિ બાંધીને પૂછ્યું હે ભગવન્ ! મારો પુત્ર દુર્ગંધી થયો તેનું કારણ શું હશે ? એણે પૂર્વલા ભવમાં શું કર્મ કરવું હશે ? ત્યારે ભગવાન કહેવા લાગ્યા. નગપુરથી બાર યોજન છેટે નીલ પર્વત ઉપર એક શિલાની ઉપર માસોપવાસી સાધુ ધર્મધ્યાન કરતા હતા, તેને વ્યાધે ઉપદ્રવ કરવા માંડ્યો. એક વખતે તે સાધુ ગામમાં એષણાર્થે ગયો. એટલામાં એક વ્યાધે તે શિલા ઉપર અગ્નિ સલગાવ્યો અને તે શિલા અગ્નિ જેવી બલતી કરી. સાધુ ત્યાં આવીને બેઠા. ઉષ્ણ પરિસહ સહન કરીને કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. પછી તે વ્યાધ દુષ્ટ કર્મથી કુષ્ટી થયો. મરીને સાતમી નરકે ગયો. પછી સર્પ થઈને પાંચમે નરકે ગયો. પછી સિંહ થઈને ચોથે નરકે ગયો. પછી ચિત્રક થઈને ત્રીજે નરકે ગયો. પછી માર્જાર થઈને બીજે નરકે ગયો. પછી ઉલૂક થઈને પહેલે નરકે ગયો. એવા ભવ ભમીને અંતે એક શ્રાવકને ઘેર ઉપન્યો. પશુપાલનો ધંધો કરવા લાગ્યો. શ્રાવક હોવાથી નવકાર શીખ્યો. એક વખતે વનમાં દાવાગ્નિ બલતો હતો, તે બલતાં બલતાં પેલો પશુપાલ જ્યાં સૂતો હતો, ત્યાં તેના અંગ ઉપર આવી પડ્યો. તે બલીને મરણ પામ્યો. અંતે નવકાર સ્મરણ કરવું, તેથી તારો પુત્ર થયો. શેષ કર્મના દોષથી દુર્ગંધી શરીર થયું. એવી રીતે પૂર્વ સાંભલતાંજ તે દુર્ગંધ રાજકુમરને જાતિસ્મરણજ્ઞાન ઉપજ્યું. તેથી ભગવંતને પગે લાગીને પૂછવા લાગ્યો કે હું એ શ્રી રોહિણીની કથા Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧૦૯ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy