SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ -[] - છે I અથ શ્રીરોહિણીની કથા પ્રરંભઃ II જે કિંચિ વિંછઈ મણે, તે સä હુઈ તવપ્રભાવેણ / ઈફેણ સમે જોગો, હવઈ વિઓગો અણિકેણ // ૧ / ઉચ્ચિઠમસુંદરય, ભવં તહ પાણગં ચ જો દેઈ / સાહૂણ જાણમાણે, ભત્તેમિ નિમજજાએ તસ્સ / ૨ll અર્થ- જે કાંઈ મનમાં વાંછે, તે સર્વ તપના પ્રભાવે કરી પ્રાપ્ત થાય, ઈષ્ટ વસ્તુનો સંયોગ થાય, અને અનિષ્ટ વસ્તુનો વિયોગ થાય. ઉખરાડ એટલે વિરુદ્ધ તે જૂઠ પ્રમુખ તથા અસુંદર એટલે ખરાબ ખોટો એવો જે આહાર ભાત તથા પાણી તે જે જીવ જાણતો થકો સાધુ ભણી દીયે, તે આહાર જમો થકો પચે નહીં. તેવા અન્ન આપનારને અનિષ્ટપણું પ્રાપ્ત થાય છે. તેના ઉપર રોહિણીની કથા કહે છે. શ્રીચંપાનગરીને વિષે શ્રીવાસુપૂજ્ય તીર્થકરનો પુત્ર મઘવા નામે રાજા રાજ્ય કરે છે. તેની લખમણા એવે નામે રાણી છે. તેને અનુક્રમે આઠ પુત્ર થયાતે વારે રાણીએ વિચાર્યું, જે હજી એક પુત્રી થાય તો સારું. એમ ચિંતવતાં આઠ પુત્રની ઉપર નવમી પુત્રી થઈ. તે માતાપિતાને ઘણી વલ્લભ છે. તેનું નામ રોહિણી પાડ્યું. હવે તે પુત્રી પાંચ ધાવે કરી લાલી જતી પાલી જતી મોટી થઈ તે વારે ભણી ગણી સર્વ કલા શીખીને મહાચતુર થઈ, રુપ લાવણ્ય ગુણે કરી સંયુક્ત થઈ. અનુક્રમે યૌવનાવસ્થા પામી, ત્યારે રાજાએ વિચાર્યું છે એ કુમરીને જો યોગ્ય વર મલે તો સારું થાય. એમ વિચારી સ્વયંવરમંડપ માંડ્યો. તેમાં કુરુ, કોશલ, લાટ, કર્ણાટ, વૈરાટ, મેદપાટ, ગૌડ, ચોડ, દ્રવિડ, મગધ, માલવ, સિંધુ, સૌરાષ્ટ્ર, ગુર્જર, કુંકણ, કચ્છ, જાલંધર, નાગપુર ઈત્યાદિક દેશના વિદ્યાધર રાજા તથા બીજા પણ મોટા મોટા રાજાઓ આવ્યા. ડેરા તંબૂ દઈ બેઠા. હવે રાજાએ પણ પોતાની કુમરીને સોળે શણગારે શણગારી હાથમાં વરમાલા આપી સ્વયંવરમંડપમાં મોકલી. દાસી મુખ આગલ હાથમાં અરીસો લઈ રાજાઓની શ્રી રોહિણીની કથા ૧૦૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy