SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો. એમ કરવાથી પચાસ હજાર મુનિને પૂજવાનું દ્રવ્યફલ પામે, અને સર્વ સાવધનો ત્યાગ કરે, તો ભાવપૂજાનું ફલ મોક્ષનું ફલ પામે. જેમ વૃક્ષમાં કલ્પવૃક્ષ, દેવોમાં ઈદ્ર, રાજામાં ચક્રવર્તી, જ્યોતિષીમાં સૂર્ય, ધાતુમાં સુવર્ણ, ઘોડામાં સપ્તમુખો ઘોડો ઉત્તમ છે, તેમ અન્ય સર્વ પર્વોમાં દીવાલી પર્વ મોટું લાભકારી છે. જે માટે શાસનનાયક શ્રીવીર ભગવાનનો મોક્ષકલ્યાણિકનો દિવસ છે, તે મહા પ્રાભાવિક છે. વલી શ્રીગૌતમસ્વામીને કેવલ પામ્યાને દિવસે ઘણા રાજાએ દીપોત્સવ કર્યો છે, તેથી એ દીવાલી પર્વ પ્રવર્યું છે, એ વાત સાંભલીને સંપ્રતિ રાજા પણ પ્રતિવર્ષ દીવાલી પર્વ આરાધન કરવા પ્રવર્યો. એમ આર્યસુહસ્તિના મુખથી સાંભલીને શ્રીવીરકલ્યાણિક દિવસ જાણી સર્વ દેશો માંહેલા લોક એ પર્વ કરવા લાગ્યા. જે મિથ્યાત્વી લોકો હતા તે પણ કલ્પિત માહાભ્ય બનાવી પોતાના મતમાં એ દીવાલ પર્વને માનતા થયા. એટલે મિથ્યાત્વીઓને એ પર્વ કર્મબંધના કારણરુપે પ્રવર્યું અને સમ્યગૃષ્ટિ જીવોને કર્મનિર્જરાનું કારણ થયું. - વલી એ દીવાલી પર્વને દિવસે અક્ષતનો સાથીઓ કરી પવિત્ર થઈ ગૌતમસ્વામીનો મંત્ર જપે, તો તેને લક્ષ્મીનો પણ લાભ થાય; પણ તે મંત્ર આશા રહિત થકા ભલો આણીને જપવો જોઈએ. તે મંત્ર આ પ્રમાણે છે. “ૐ હું શ્રીં શ્રીગૌતમાય નમઃ” એનો સાડીબાર હજાર જાપ દીવાલીની રાતે કરવો. તથા “ૐ હ્રીં શ્રી ગોતમામ સુવર્ણલબ્લિનિધાનાય ૐ હ્રીં નમઃ” એનો સાડીબારસો વખત જાપ કરવો. તથા દીવાલીની અમાવાસ્યાને દિવસે નંદીશ્વર દ્વીપનો પટ લખી બાવન જિનચૈત્યની પૂજા કરવી. પછી મહીને મહીને અમાવાસ્યાનો ઉપવાસ કરવો, પારણે એકાસણું કરવું. એમ સાત વર્ષ સુધી કરે, બાવન ફલાદિક વસ્તુઓ ચઢાવે. જો શક્તિ ન હોય તો એક વર્ષ સુધી કરીને પછી ઉજમણું કરે, તોપણ મોટો લાભ છે. એમ નંદીશ્વર તપ દીવાલીથી લઈને પાછું દીવાલીએ મૂકે. તેમજ વલી બીજાં પણ ઘણા તપ દીવાલી સંબંધી છે તે સર્વ ગ્રંથાંતરથી જાણીને યથાશક્તિ કરવાં. - વલી પાવાપુરીની પૂર્વે મધ્યમ પાપા કહેતા હતા તે શ્રી વીર ભગવાનનું નિર્વાણકલ્યાણિક થયાથી ઈદ્ર મહારાજે પાવાપુરી એવું નામ સ્થાપ્યું. ભગવાનના નિર્વાણ સ્થાનકે દેવતાના પ્રભાવે કૂવાના પાણીથી તેલ વિના દીવા બળે છે. જે શ્રી દિવાલીકલ્પ ૧૦૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy