SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યદર્શનીઓ કહે છે કે વિષ્ણુએ વામન અવતાર લઈ બલિ રિપુને પાતાલમાં ઘાલ્યો. તે વિષ્ણુ એજ સમજવો. હવે એવું કૃત્ય દેખી સર્વ લોક ભય પામ્યા, પર્વત કંપાયમાન થયા, પૃથ્વી ધ્રુજવા લાગી, સમુદ્ર મર્યાદા મૂકવા લાગ્યો, જ્યોતિષી દેવતા ભય પામ્યા. દેવોએ જાણ્યું કે આ તે શું ઉત્પાત છે ? એમ મનમાં શંકા ઉપની, શકેંદ્રનું મન પણ શંકિત થયું. પછી અવધિજ્ઞાને કરી જાણવામાં આવ્યું છે, કારણ પડવાથી મુનિએ રુપ વિદ્ભવ્યું છે. તેનો ક્રોધ ઉપશમાવવા માટે ઘણા ગંધર્વાદિક દેવ દેવીઓને લઈને મુનિ આગલ ગાયન પ્રમુખ કરાવી તેનો કોપ મટાડ્યો. તે વારે વિષ્ણુકુમાર કોપ રહિત થઈ જેવું સ્વભાવનું શરીર હતું, તેવું રુપ કરી રહ્યા. મહાપા ચક્રવર્તી આવીને નમ્યો. તે વેળાએ ચક્રવર્તીને ઉલંભો દેઈ મુનિરાજ આદિક સર્વ લોકે પરવયા થકા ગુરુ પાસે આવ્યા. ગુરુને વાંદીને આલોયણ લઈ પડિક્કમીને સંઘ પ્રભાવના કરી. ઘણો કાલ ચારિત્ર પાલી મોક્ષે ગયા. એ રીતે ઉત્પાત ટલ્યો. લોકે જાણયું, નવો જન્મ થયો, એટલે મરવાથી બચ્યા. એવું જાણીને માંહોમાંહે કુશલ પૂછવા લાગ્યા, અને સ્નાન મજ્જન કરી ડાં વસ્ત્રભૂષણ પહેરવા લાગ્યા. ઈષ્ટદેવને પૂજી રૂડાં ભોજન કરવા લાગ્યા. એ પ્રવૃત્તિ તે દિવસથી વર્ષોવર્ષ લોક રુઢીએ ચાલી આવે છે, તે પણ કાર્તિક પડવાનો દિવસ હતો, માટે લોક જુહાર પ્રમુખ કરે છે, ભંડાર, ઘર શણગારે છે, અને મુનિની અવજ્ઞાનો કરનાર જે નમુચિ, તેને મૃગપશુ સમાન જાણીને છાણનો ગોવર્ણન, ઘરની બહાર રાજાએ કરાવ્યો. તે પ્રવૃત્તિ હમણાં પણ ચાલી આવે છે. તે નમુચિનો એ ભંડાચારો થયો, એમ જાણવું. તે રીતિ તો પ્રથમથીજ હતી, અને પછી શ્રીવીરનિર્વાણની અમાવસ્યા માટે દીવાલીની મર્યાદા થઈ. એ સર્વ લૌકિક સ્થિતિ છે. પણ શ્રદ્ધાવંત શ્રાવક લોક છે, તેમણે તો એ પર્વમાં આરંભ ન કરવો, પરંતુ ચૌદશ અમાવસ્યાનો છઠ્ઠ કરી સોલ પ્રહરના પોસહ કરવા. કોટિ પુષ્પ સહિત શ્રુતજ્ઞાનની પૂજા અષ્ટ પ્રકારે કરવી, વસ્રરુપ નાણું, સુવર્ણનાણું ચઢાવવું. એમ પુસ્તકપૂજા કરવી, બ્રહ્મચર્ય પાલવું, અહિંસા આદરવી, સત્ય બોલવું, તપ કરવું, લાલચ ન કરવી, ધ્યાન ધરવું, સદ્ગુરુની સેવા કરવી, સુપાત્રે દાન દેવું, એ આઠ વાનાં તે દિવસમાં કરવાં. તથા પચાસ હજાર સાધુ, સાધ્વીના પરિવાર સહિત ગૌતમસ્વામીને યાદ કરીને સોનાના કલશમાં સ્થાપવા, દીપ, ધૂપ, સાથીઓ ૧૦૨ શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy