SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાવ્યો તોપણ કોઈનું માન્યું નહીં, તે વારે સંઘે આવી આચાર્યને કહ્યું કે અમારું કાંઈ જોર ચાલે તેમ નથી. તેમજ ચક્રવર્તી પોતે પણ વચને બંધાયેલો છે, માટે બોલતો નથી. તે માટે હવે ધર્મસંકટ આપ મટાડો. તે વારે આચાર્ય સાધુઓને કહ્યું કે તમારામાંથી કોઈ લબ્ધિવંત સાધુ મેરુ પર્વતે જઈને વિષ્ણુકુમારને તેડી લાવો. તે સાંભલી એક શિષ્ય બોલ્યો કે મારામાં મેરુ પર્વત જવાની શક્તિ છે, પણ તિહાંથી પાછા આવવાની શક્તિ નથી. ગુરુએ કહ્યું કે તમોને તિહાંથી વિષ્ણુકુમાર મુનિ અહીંયાં લઈ આવશે. પછી તે મુનિએ મેરુ પર્વતે જઈ વિષ્ણુકુમાર મુનિને સર્વ હકીકત કહી, અને કહ્યું કે સંઘનું કામ છે, માટે ચાલો, એમ કહ્યું. તે વારે વિષ્ણુકુમારે જાણ્યું જે એમાં કાંઈ મોટી વાત નથી. હું ચક્રવર્તીને કહીને સંકટ કાપી નખાવીશ. એમ ચિંતવી સાધુને લઈ ગુરુની પાસે આવ્યો. સુવ્રતાચાર્યને વાંદી ને પૂછ્યું, મહારાજ! મને શ્યો આદેશ છે ? ગુરુએ સર્વ વાત જેમ બની હતી તેમ કહી સંભલાવી. વિષ્ણુકુમારે મહાપદ્મ ચક્રવર્તીને જઈ કહ્યું કે તારા રાજ્યમાં મુનિઓને ઉપસર્ગ કેમ થાય? ચક્રવર્તીએ કહ્યું, હું વચન આપી બંધાઈ ગયો છું, માટે મારું કાંઈ પણ જોર ચાલે એમ નથી. હાલ એ દુષ્ટ મારું કહ્યું પણ માનતો નથી. તે વારે વિષ્ણુકમાર રાજાની પર્ષદામાં ગયો. તેને એક નમુચિ સિવાય બીજા સર્વ રાજાઓ તથા પ્રધાન ઉભા થઈ આદર આપી વાંદવા લાગ્યા, પરંતુ તે નમુચિ તો ઉભો પણ થયો નહીં. હવે વિષ્ણુકુમાર મુનિએ તે નમુચિને કહ્યું કે હે નમુચિ ! આ ચોમાસું પૂર્ણ કરીને મુનિઓ વિહાર કરશે, કારણકે હાલમાં એમનાથી જવાય નહીં. ત્યારે નમુચિએ કહ્યું કે જો નહીં જવાય, તો મરાવી નાખશું. તે વારે વિષ્ણુકુમારે કહ્યું કે મુજને રહેવા માટે તો જમીન આપ. નમુચિએ કહ્યું તમને રહેવા માટે ત્રણ પગલાં જમીન આપું છું. તે વારે મુનિએ કોપ કરી વૈક્રિયલબ્ધિને બલેકરી લાખયોજનનું પોતાનું શરીર કર્યું. પછી એક પગ પૂર્વ વેદિકાની પાસે મૂક્યો, એક પગ પશ્ચિમ વેદિકાએ મૂક્યો. વલી ત્રીજું પદ માપીને કહ્યું કે હવે ત્રીજું પદ મૂકવા માટે જમીન આપ. તે જોઈ સર્વ લોક કંપાયમાન થયા, અને મુનિએ ક્રોધમાં ભરાઈ પોતાનો પગ ક્યાંહિ પણ જગા ન મલવાથી નમુચિના માથા ઉપર મૂક્યો. તેથી નમુચિ પૃથ્વીમાં પેસી ગયો. શ્રી દિવાલીકલ્પ ૧૦૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy