SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વારે મહાપદ્મ પોતાની માતાનું અપમાન થયું દેખી રીસાણો થકો દેશાંતર ગયો, તિહાં પોતાના પરાક્રમથી પૂર્વ પુણ્યને યોગે ચક્રરત પ્રગટ્યું. તે લઈ છ ખંડ સાધી પાછો પોતાનો નગરે આવ્યો. ચક્રવર્તીની ઋદ્ધિ દેખી પિતાએ મોટા મહોત્સવથી તેને હસ્તિનાપુરમાં પ્રવેશ કરાવ્યો. પછી પદ્મોત્તર પ્રમુખ બત્રીશ હજાર રાજાએ ચક્રવર્તીનો પટ્ટાભિષેક કરીને વિષ્ણુકુમારને સાથે લઈ પદ્મોત્તર રાજાએ દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાલીને પદ્મોત્તર રાજા દેવલોકે ગયો, અને વિષ્ણુકુમારે છ હજાર વર્ષ તપ કરવું, તેને યોગે વૈક્રિયાદિક અનેક લબ્ધિઓ ઉપની, અને મહાપદ્મ ચક્રવર્તીએ પણ અનેક ગામો તથા પર્વતોમાં દેરાસરો કરાવી, જૈનધર્મની ઉન્નતિ કરી. પૃથ્વીમાં જૈનરાજ્ય વર્તાવ્યું. મોટો સ્વર્ણરત્નમય રથ બનાવીને રથાયાત્રા કાઢી માતાનો મનોરથ પૂર્ણ કહ્યો. એવામાં જેણે નમુચિને હઠાવ્યો હતો તે સુવ્રતાચાર્ય, શિષ્યો સહિત આવીને તિહાં ચોમાસું રહ્યા. તેને જોઈ નમુચિને દ્વેષ ઉપન્યો, અને વિચારવું જે હવે એની પાસેથી મારું વૈર લઊં. તેથી તેણે રાજાને કહ્યું કે તમારું આપેલું વર મુજને આપો. ચક્રવર્તીએ કહ્યું. હું માગ, તે આપું. નમુચિએ કહ્યું, મુજને યજ્ઞ કરવો છે માટે કાર્તિક શુદિ પૂનમ પર્યંત તમારું ચક્રવર્તી સંબંધી રાજ્ય મુજને આપો. એટલા દિવસ રાજ્યમાંહે તમારી આજ્ઞા ન ચાલે. એકલી મારીજ આજ્ઞા ચાલે. ચક્રવર્તી પણ વચને બંઘાણો હતો, તેથી તેને રાજ્ય આપી દીધું, અને પોતે અંતેઉરમાં રહ્યો. મોટાનાં વચન ફરે નહીં. હવે નમુચિ રાજા થયો. યજ્ઞ કરવા માંડ્યો. તેમાં સર્વદર્શનીના લિંગીયા સર્વ આવ્યા, પરંતુ સુવ્રતાચાર્ય ગયા નહીં. તે જોઈ નમુચિએ કહેવરાવ્યું કે સર્વ દર્શનીઓ આવીને મુજને નમ્યા, અને તમે નમવા આવ્યા નહીં. તો હવે સાત દિવસ માંહે મારા રાજ્યથી બહાર નીકલી જાઓ, નહીં તો સર્વને મરાવી નાખીશ. પછી મારામાં દોષ કાઠશો નહીં. તે વારે મુનિઓ બોલ્યા કે સાત દિવસમાં ચક્રવર્તીના રાજ્યને ઉલંધીને અમે ક્યાં જઈએ ? વલી સંઘ તથા રાજાઓએ મલી તેને અરજી કરી, જે મુનિઓથી ચોમાસામાં ક્યાંહિ જવાઈ શકાય નહીં. તેમજ આખા ભરત ક્ષેત્રમાં તારું રાજ્ય છે, તેને મૂકીને એ ક્યાં જઈ રહેશે ? ત્યારે તેને નમુચિએ કહ્યું, જો નહીં જશે તો મરાવી નાખીશ. તેને ઘણા જણોએ ૧૦૦ શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy