SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ રચાવે છે, અક્ષત પ્રમુખ ઢોઈને સૂરિમંત્રની પૂજા કરી આરાધે છે, અને શ્રાવકો પણ ભગવાન્ મોક્ષ ગયા પછી શ્રુતજ્ઞાન પ્રત્યે સર્વ વિધિએ કરી પૂજે. હવે ભગવાન્ નિર્વાણ પામ્યા સાંભલીને ભગવંતના ભાઈ નંદિવર્ધન રાજાએ શોકાકુલ થઈ પડવાને દિવસે ઉપવાસ કર્યો. તેને કાર્તિક શુદિ બીજ દિવસે સુદર્શના બહેને પોતાને ઘેર તેડીને ચાર પ્રકારનો આહાર જમાડી પ્રતિબોધીને તેનો શોક નિવર્તાવ્યો. તાંબૂલ વસ્ત્રાદિક આપ્યાં. તે દિવસથી લોકોને વિષે ભાઈબીજ પ્રવર્તી, એમ દીપોત્સવ પર્વની સ્થિતિ થઈ, દીપોત્સવે ચૌદશ તથા અમાવાસ્યા એ બે દિવસે બે ઉપવાસ એટલે છઠ્ઠ કરીને અષ્ટપ્રકારી પૂજા કરીએ, પચાસ હજાર ફૂલથી શ્રુતજ્ઞાનની પૂજા કરીએ. તથા શ્રીગૌતમસ્વામીને સુવર્ણકમલને વિષે સ્થાપીને ધ્યાન કરીએ. ચોવીશે જિનનાં પટ આગલ પ્રત્યેક જિન આશ્રયી પચાસ હજાર ચોખા ગણતાં બાર લાખ ચોખા ઢોઈને તેની ઉપર દીવો મૂકી શ્રીગૌતમસ્વામીનું આરાધન કરીયે. સર્વોત્કૃષ્ટ સંપદા આરાધવાથી પરંપરાએ પરમપદ પામીએ. તથા દીપોત્સવ અમાવસ્યાને દિવસે ઉજમણું કરે, નંદીશ્વર તપ માંડે તે દિવસે નંદીશ્વરપટપૂજાપૂર્વક ઉપવાસ કરીએ. એમ સાત વર્ષ પ્રત્યેક અમાવાસ્યાએ ઉપવાસ કરીયે. સાત વર્ષ પૂર્ણ થયે મહાવીર નિર્વાણ કલ્યાણકની અમાવાસ્યાને દિવસે ઉજમણું કરીયે. તિહાં નંદીશ્વરદ્વીપના બાવન જિનનાં આલયરુપ પટ આગલ સાક્ષાત્ હવણ કરી, પટ આગલ બાવન વસ્તુનો બલિ ઢોઈએ. બાવન પ્રકારનાં પકવાન્ન, મીઠાઈ તથા નારંગી, જંબીર, બીજોરાં, સોપારી નાલીએર, સેલડીના સાંઠા, કેલાં પ્રમુખ સર્વ બાવન ઢોઈએ તથા બાવન જાતિનાં ફૂલ ઢોઈએ, બાવન વસ્ત્ર ચઢાવીએ. વલી કોટલાએક કહે છે કે દીપોત્સવ વિના પણ નંદીશ્વર તપ કરવું. એ રીતે દીવાલ પર્વનું આખ્યાન, શ્રી આર્યસુહસ્તિ ગુરુએ સંપ્રતિ રાજા આગલ કહ્યું. ત્યારે પાછું વલી સંપ્રતિ રાજાએ પૂછ્યું કે હે ભગવન્! દીવાલી પર્વમાં વિશેષ કરી ઘરને શોભાવવું, ડાં વસ્ત્ર પહેરવાં, વિશિષ્ટ પરિભોગ કરવા, ફૂલ ફલાદિક આરોગવાં, માંહોમાંહે જુહાર કરવો, કુશલ પૂછવું, ઘેર ઘેર મલવા જવું ઈત્યાદિક કરવાનું કારણ શું છે? તે સાંભળી ગુરુ બોલ્યા હે રાજન્ ! એ રીતિ ઘણા દિવસથી ચાલી આવેલી છે. તે હું કહું છું તે સાંભલ. ઉજ્જયણી નગરીમાં ધર્મ નામે રાજા છે. તેને નમુચિ નામે પ્રધાન છે. એવામાં શ્રીમુનિસુવ્રતસ્વામી શાસનના શ્રીસુવ્રત નામે આચાર્ય વિહાર કરતા બહુ શિષ્યના પરિવારે પરવસ્યા થકા તિહાં આવ્યા. શ્રી દિવાલીકલ્પ ૯૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy