SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલધ્યાનને ચોથે પાદે પાંચ હ્રસ્વ અક્ષરની સ્થિતિવાલું ચૌદમું અયોગી ગુણઠાણું પામી, મોક્ષરૂપ મહેલમાં પધાર્યા. તે વારે ઝીણા કુંથુઆ જીવ બહુ થયા. તે દેખી ઘણા મુનિએ અનશન કર્યા, નવ મલકી જાતિના રાજા અને નવ લેચ્છકી જાતિના રાજા, એ અઢાર કાશી કોશલના અધિપતિ અમાવાસ્યાને દિવસે વાંદવા આવ્યા. તે પોસહ ઉપવાસ કરી રહ્યા. તેણે ભગવંતનું નિર્વાણ સાંભલીને જાણ્યું, જે ભાવઉદ્યોત તો ગયો. હવે દીપકનો દ્રવ્યઉદ્યોત કરો. એમ વિચારી દીવા કહ્યા. વલી ભગવાનના નિર્વાણમહોત્સવ કરવા માટે આકાશમાર્ગે ઘણાં દેવ દેવીઓ જાતાં આવતાં થયાં, તેની જ્યોતિએ કરી રાત્રિમાં ઉદ્યોત થઈ રહ્યો, “મેરઈયાં મેરઈયાં' એમ બોલતાં રાત્રિએ કલકલ કોલાહલ દેવોના મુખથી થયો. તે દેખીને લોકોએ દીવાનાં મેરઈયાં કરવાની મર્યાદા ચલાવી. તથા ભગવંતનું નિર્વાણ દેવોના મુખથી સાંભલીને ગૌતમસ્વામી ચિંતવવા લાગ્યા કે જૂઓ, આ અંતઅવસરે મુજને વેગલો મૂક્યો, માટે અહી નિર્મોહી! અરે હું ભક્ત!! અને ભગવાન્ તો નીરાગી!!! જે માટે મુજને પોતાની પાસે ન રાખ્યો. અથવા એ વીતરાગ તેને સ્નેહ ક્યાંથી હોય? એ સિદ્ધાર્થનો પુત્ર તે પ્રેમ શી રીતે રાખે? માટે જગમાં કોઈ કેનું નથી, તેથી હે ચેતન! તું તારી સ્વદશા સંભાર. એમ ભાવના ભાવતાં મોહ ક્ષય કરીને કેવલજ્ઞાન ઉપજાવ્યું. તે દિવસથી લોકોએ દીવાલી પર્વ પૃથ્વીમાં કાર્તિક વદિ અમાવાસ્યાને દિવસે પ્રવર્તાવ્યું. લોક સર્વ ચતુષ્પદ ગાય પ્રમુખને રંગતા હુવા, ભસ્મગ્રહના ફલનો ઘાત કરવા મેરઈયાં થયાં. વલી વીર ભગવાનનો નિર્વાણમહોત્સવ કરીને ઈદ્ર મહારાજે પડવાને દિવસે શ્રીગૌતમસ્વામીનો કેવલમહોત્સવ કર્યો. તેથી લોકોમાં પડવાનો તહેવાર પ્રવર્યો, તેથી ચંદનાદિકે અક્ષાની પૂજા કરે છે. ઈહાં કવિ કહે છે કે મોહરુપ ચોરે જાણ્યું, જે વીર રાજા મોક્ષે ગયા, તો કોણ મુજને વારનારો છે? એવું ચિંતવીને મોહ૫ ચોર લોકોને લુંટવા લાગ્યો. તે વારે ગૌતમ ગુરુએ જાણ્યું, જે શું હમણા મારું રાજ્ય નથી? કે જે એ મોહરુપ ચોર આવે છે? એમ ચિંતવીને ગૌતમસ્વામીએ મોહરુપ ચોરને હઠાવ્યો. તે લોકોના ઘરમાં પેસવા લાગ્યો. તેને કાઢવા માટે સ્ત્રીઓ સૂપડું કૂટવા લાગી એમ જણાય છે. તથા ગૌતમસ્વામીએ સૂરિમંત્ર પ્રરુપ્યો, તેથી સૂરિમંત્રની આરાધના શ્રીગૌતમના કેવલજ્ઞાનની ઉત્પત્તિને દિવસે કરે છે. દેવછંદો શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy