SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અપરાજિત, ૮ ભીમ, ૯ સુગ્રીવ, એ નવ પ્રતિવાસુદેવ થશે, તથા ૧ જયંત, ૨ અજિત, ૩ ધર્મ, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ પદ્મ, ૯ સંકર્ષણ, એ નવ બલદેવ થશે. એ સર્વ મલી ત્રેસઠ થયા. તે શલાકાપુરુષ કહેવા. એ સર્વ ત્રીજા આરામાં થશે. તે થયા પછી ચોથો આરો બેસશે. એ સર્વનાં શરીર આયુ આદિકનાં પ્રમાણ, જેમ તીર્થંકરોની પશ્ચાનુપૂર્વીએ કહ્યાં, તેમ પશ્ચાનુપૂર્વીએ જાણવાં. ચોવીશમા તીર્થંકરનું મોક્ષગમન થયા પછી કલ્પવૃક્ષ પ્રગટ થશે. સર્વ લોક યુગલીયા થશે. તે અઢાર કોડાકોડી સાગરોપમ સુધી નિરંતર યૌગલિક ધર્મ પ્રવર્તશે. એ ઉત્સર્પિણી અને અવસર્પિણી મલી વીશ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય. એવાં અનંતા કાલચક્ર આ ભરત ક્ષેત્રમાં અતીત કાલે થયાં, અને અનાગત કાલે થશે. એવી રીતે કહી પોતાનું નિર્વાણ ટૂકડું જાણી ગૌતમજીનો પોતાની ઉપર ઘણો સ્નેહ હતો, માટે તેને પાસેના ગામમાં કોઈ દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે, તેને પ્રતિબોધ દેવા સારુ મોકલ્યા. ભગવાન્ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસે રહ્યા, સાડાબાર વર્ષ છદ્મસ્થપણે રહ્યા, ત્રીશ વર્ષ કેવલ ભોગવ્યું. સર્વ બહોંતેર વર્ષાયુ પૂર્ણ કરીને કાર્તિક વદિ અમાવાસ્યા, બીજો ચંદ્ર નામ સંવત્સર, પ્રીતિવર્ધન નામે મહીનો, નંદિવર્ડ્સન નામે પક્ષ, ઉપશમ નામે દિવસ, દેવાનંદા નામે રાત્રિ, સર્વાર્થસિદ્ધિ મુહૂર્ત, નાગ નામે કરણ, રાત્રિના પાછલા ભાગમાં ચાર ઘડી રાત્રિ રહે થકે સ્વાતિ નક્ષત્રે પર્યંકાસને એટલે પાલખી વાલી બેઠા એવામાં શક્રંદ્રે પૂછ્યું કે હે ભગવન્ ! તમારા જન્મનક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિનો ત્રીશમો ભસ્મગ્રહ આવશે તે અતિક્ષુદ્ર છે, માટે હે સ્વામી ! તમે એક મુહૂર્ત માત્ર પડખો તો પાછલ તમારા તીર્થની પૂજા માનતા રુડી ચાલે, નહીં તો પાછલ શિષ્યાદિક ચતુર્વિધ સંઘને પીડા ઉપજશે, તે મારાથી પણ ટાલી ટલશે નહીં. એવું વચન સાંભલીને ભગવાન્ બોલ્યા કે હે ઈદ્ર! એ વાત ત્રણે કાલે ન થાય. જે હોનાર હોય, તેને કોઈ પણ ટાલી શકે નહીં. આયુષ્ય વધારવાને કોઈ સમર્થ નથી. ભાવિ પદાર્થ અવશ્યપણે થાય. એમ પ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફલ વિપાકનાં કહ્યાં, અને પંચાવન અધ્યયન પાપફલ વિપાકનાં પ્રરૂપ્યા. પૂછ્યા વિના છત્રીશ અધ્યયન પ્રકાશીને કહ્યાં. તેને અપૃષ્ટ વ્યાકરણ કહીએ. મરુદેવા માતાનું પ્રધાન નામે અધ્યયન પ્રરુપતે અંતર્મુહૂત્ત્વનું શૈલેશીકરણ કરી, ત્રણ યોગ રુંધી, પ્રધાન અધ્યયન ભાવતાં શ્રી દિવાલીકલ્પ ૯૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy