SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાવાલો જે દ્વીપાયન મુનિ, તેનો જીવ યશોધર નામે ઓગણીશમો તીર્થંકર, છટ્ઠા શ્રીપદ્મપ્રભજીના જેવો થશે, પણ શ્રીસમવાયાંગમાં ઓગણીશમો તીર્થંકર મયાલીનો જીવ કહ્યો છે તે સત્ય છે. તથા દ્વીપાયનનો જીવ વીશમો અનર્દિક તીર્થંકર થશે એમ કહ્યું છે, અને બીજા આચાર્ય કહે છે કે કૌરવો પાંડવોનો ભાઈ કર્ણનો જીવ વીશમો તીર્થંકર થશે તથા કેટલાએક કહે છે કે વાસુપૂજ્યના વંશમાં જે કર્ણ થયો છે તેનો જીવ વિજય નામે વીશમો તીર્થંકર શ્રીસુમતિનાથજીના જેવો થશે. તથા જે ભગવતીમાં નિગ્રંથપુત્ર નારદ કહ્યો છે, તે નારદનો જીવ, વલી કોઈક એવું કહે છે કે રામ લક્ષ્મણ વખતમાં જે નારદ થયો છે તે નારદ, એકવીશમો વિજય નામે તીર્થંકર થશે. કોઈ કહે છે કે મલ્લ નામે તીર્થંકર શ્રીઅભિનંદનજીના જેવો થશે, અને શ્રીસમવાયાંગમાં તો વિજય એકવીશમો તીર્થંકર કહ્યો છે, અને સુલસાની પરીક્ષા કરનારો અંબડ તે બાવીશમો વિમલ નામે તીર્થંકર થશે, અને બીજું નામ મલ્લી એ બે નામ બાવીશમા તીર્થંકરનાં થશે. ઈહાં જે ઉવવાઈસૂત્રમાં અંબડ પરિવ્રાજક કહ્યો છે તે ન લેવો. ગ્રંથાંતરે બાવીશમા તીર્થંકરનું નામ દેવ એવું પણ કહ્યું છે. એ ત્રીજા શ્રીસંભવનાથનાં જેવાં શરીરાદિ આયુ પ્રમાણ પ્રમુખ સરખાં થશે એમ જાણવું. તથા અમરનો જીવ દેવોપપાત નામે ત્રેવીશમો તીર્થંકર થશે, ગ્રંથાંતરે અનંતવીર્ય નામે ત્રેવીશમો તીર્થંકર બીજા શ્રીઅજિતનાથજીના જેવો થશે એમ કહ્યું છે. તથા સ્વાતિબુધનો જીવ ભદ્રકૃત એવે નામે ચોવીશમો તીર્થંકર, શ્રીઋષભદેવજીના જેવો પાંચસે ધનુષ્યના શરીરવાલો થશે. એનું ગ્રંથાંતરે અનંતવિજય તથા બીજું નામ અનંતવીર્ય એવું પણ કહ્યું છે. એમનાં આયુ, શરીરપ્રમાણ, કલ્યાણિકાદિક દિવસો, આંતરા, લાંછન, વર્ણ વગેરે સર્વ શ્રીમહાવીરથી લઈને અનુક્રમે શ્રીઋષભદેવ સ્વામીના જેમ કહેવાય તેમ કહેવા. તેવોજ બીજો આરો વીત્યા પછી ત્રીજા આરાની ચોવીશીમાં બાર ચક્રવર્તી થશે, તેનાં નામ કહું છું. ૧ દીર્ધદંત, ૨ ગૂઢદંત, ૩ શુદ્ધદંત, ૪ શ્રીચંદ્ર, ૫ શ્રીભૂતિ, ૬ શ્રીસોમ, ૭ પદ્મ, ૮ મહાપદ્મ, ૯ દર્શન, ૧૦ વિમલ, ૧૧ અમલવાહન, ૧૨ અરિષ્ટ, એ બાર ચક્રવર્તી થશે, તેનાં નામ કહ્યાં. તથા ૧ નંદિ, ૨ નંદિમિત્ર, ૩ સુંદરબાહુ, ૪ મહાબાહુ, ૫ અતિબલ, ૬ મહાબલ, ૭ બલ, ૮ દ્વિપૃષ્ઠ, ૯ ત્રિપૃષ્ઠ, એ નવ વાસુદેવ આગામિક કાલે થશે. ઈહાં કેટલાંએક નામાંતર નામ છે, તે લખ્યાં નથી. તથા ૧ તિલક, ૨ લોહજંઘ, ૩ વજંઘ, ૪ કેસરી, ૫ બલિ, ૬ પ્રહ્લાદ, ૭ શ્રી દિવાલીકલ્પ ૯૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy