SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ એક આચાર્ય એનું દેવદત્ત એવું નામ લખે છે તથા જે ભગવતી સૂત્રમાં શંખપુષ્કલી શ્રાવક કહ્યો તે ન લેવો, પણ બીજો કોઈ શંખ શ્રાવક છે, તેનો જીવ ઉદય નામે સાતમો તીર્થકર શ્રીઅરનાથના જેવો થશે. તથા ઉપાસકદશાંગ સૂત્રમાં જે આનંદ શ્રાવક કહ્યો છે તે ન લેવો, પણ બીજો કોઈ આનંદ શ્રાવકનો જીવ પેઢાલ નામે આઠમો તીર્થકર શ્રીકુંથુનાથના જેવો થશે. ઈહાં કોઈ એમ લખે છે કે, વસુનંદનો જીવ, તે પેઢાલ નામે આઠમો તીર્થકર થશે. તથા કોઈક કહે છે કે સુનંદનો જીવ પોટ્ટિલ નામે નવમો તીર્થકર થશે, અને કોઈક કહે છે કે, સુનંદનો જીવ નવમો તીર્થકર થશે; પણ સમવાયાંગમાં તો આનંદનો જીવ આઠમો તીર્થકર થશે, અને સુનંદનો જીવ નવમો તીર્થકર શ્રી શાંતિનાથજીના જેવો થશે, એમ કહ્યું છે. તથા શતકનો જીવ સત્કીર્તિ નામે દશમો તીર્થકર શ્રીધર્મનાથના જેવો થશે, પણ એ શતક જે ઉપાસકદશાંગમાં કહ્યો છે, તે સમજવો નહીં. તથા કૃષ્ણજીની માતા જે દેવકીજી, તેનો જીવ અગીયારમા મુનિસુવ્રત નામે તીર્થકર શ્રી અનંતનાથજીના જેવો થશે. તથા નવમા કૃષ્ણ વાસુદેવનો જીવ, તે બારમો અમમ નામે તીર્થ કર શ્રીવિમલનાથજીના જેવો થશે. તથા સુયેષ્ઠા સાધ્વીનો પુત્ર સત્યકી નામે જે વિદ્યાધર, તેનો જીવ તે નિઃકષાય નામે તેરમો તીર્થકર શ્રીવાસુપૂજ્યના જેવો થશે. શ્રી સમવાયાંગમાં તો સત્યકીનો જીવ બારમો તીર્થકર અને કૃષ્ણજીનો જીવ તેરમો તીર્થકર થશે એમ લખ્યું છે, એ ફરક છે, પણ સૂત્રમાં લખે, તે પ્રમાણ છે. તથા બલદેવનો જીવ, નિપુલાક નામે ચૌદમો તીર્થકર અગીયારમા શ્રીશ્રેયાંસનાથજીના જેવો થશે. તથા અંબડને પ્રતિબોધ દેનારી જે સુલસા શ્રાવિકા, તેનો જીવ નિર્મમ નામે પન્નરમો તીર્થકર, દશમા શ્રી શીતલનાથના જેવો થશે. તથા શ્રીબલભદ્રજીની માતા રોહિણીનો જીવ તે ચિત્રગુપ્ત નામે સોલમો તીર્થકર નવમા શ્રીસુવિધિનાથના જેવો થશે. ઈહાં પણ શ્રીસમવાયાંગમાં રોહિણીનો જીવ પંદરમો તીર્થકર અને સુલતાનો જીવ સોલમો તીર્થકર કહ્યો છે તે સત્ય છે. તથા કોઈક કહે છે કે કલંકીનો પુત્ર દત્ત નામે થશે, તે શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરી જિનમંડિત પૃથ્વી કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરશે. તે સોલમો તીર્થકર થશે. સત્યાસત્ય તો કેવલીગમ્ય છે. તથા શ્રી મહાવીરને બીજોરાપાકની વહોરાવનારી રેવતી શ્રાવિકાનો જે જીવ તે સમાધિ નામે સત્તરમો તીર્થકર, આઠમા શ્રીચંદ્રપ્રભજીના જેવો થશે. તથા સતાલી નામે કોઈક તાપસ કહે છે અને કોઈક શ્રાવક કહે છે, તેનો જીવ સંવર નામે અઢારમો તીર્થકર સાતમા શ્રી સુપાર્શ્વનાથના જેવો થશે. તથા દ્વારિકાનો દાહ ૯૪ શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy