SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તે બીજા આરાના અંતમાં મધ્યખંડને વિષે અનુક્રમે સાત કુલગર થશે. તેનાં નામ કહે છે. એક વિમલવાહન, બીજો સુનામ, ત્રીજો સંગમ, ચોથો સુપાર્થ, પાંચમો દત્ત, છઠ્ઠો સુમુખ અને સાતમો સમુચી, એ સાતમાંથી વિમલવાહનને જાતિસ્મરણજ્ઞાન ઉપજશે તેથી તે રાજનીતિ થાપશે, ગામ વસાવશે, હાથી, ઘોડા, પાયદળ, રથ પ્રમુખનો સંગ્રહ કરશે, અગ્નિ ઉપજવાથી અન્ન પક્વાદિકનો વિધિ દેખાડશે. ગાય ભેંસ પ્રમુખ રાખશે. બીજા પણ સર્વ વ્યવહાર પ્રવર્તાવશે, પુરુષની બહોતેર કલા, સ્ત્રીની ચોસઠ કલા જે કલ્પસૂત્રમાં કહેલ છે તે, સો પ્રકારનાં સર્વ શિલ્પ પ્રવર્તાવશે. એમજ છેલ્લો, સાતમો કુલગર તે શતદ્વારપુરમાં સમુચી એવે નામે થશે. તેની ભદ્રા નામે રાણી થશે. એવામાં ઉત્સર્પિણીનો બીજો આરો એકવીશ હજાર વર્ષનો, તે માંહેલા ત્રણ વર્ષ ને સાડા આઠ મહીના જે વારે શેષ રહેશે, તે વારે શ્રેણિક રાજાનો જીવ, પહેલી નારકીમાંથી નીકળીને ભદ્રા રાણીની કૂખે આવી ઉપજશે. રાત્રે ચૌદ સ્વપ્ન દેખીને ભદ્રારાણી પોતાના ભરતાર સમુચી કુલગરને કહેશે, તે સાંભલી સમુચી કુલગર કહેશે કે હે રાણી ! તુજને પુત્ર થશે, એમ જે પ્રમાણે કલ્પસૂત્રમાં શ્રી મહાવીર સ્વામીને કહ્યો છે, તે પ્રમાણે અનુક્રમે પુત્રના જન્મોત્સવને સર્વ અધિકાર અહીંયાં પણ કહેવો. તે પુત્રનું નામ પદ્મનાભ થાપશે. તેનું સાત હાથનું શરીર, સુવર્ણ સમાન દેહ, સિંહ લાંછન, બહોતેર વર્ષનું આયુ જાણવું. એવો શ્રીપદ્મનાભ તે શ્રી મહાવીર સ્વામીના જેવો તીર્થકર થશે. ત્યાર પછી જેમ આ વર્તમાન ચોવીશી થઈ, તેમ પચ્છાનુપૂર્વીએ બીજા ત્રેવીસ તીર્થંકર થશે. " એમ એ આવતી ચોવીશીના ચોવીશ તીર્થકરોનાં નામ તથા તે કયા કયા જીવ આવીને તીર્થંકરપણે ઉપજશે તેનાં નામ પણ હે ગૌતમ ! હું તુજને કહું છું તે સાંભલ. શ્રેણિક રાજાનો જીવ તે પદ્મનાભ નામે પહેલો તીર્થકર શ્રીમહાવીર જેવો થશે. શ્રીમહાવીરનો કાકો જે સુપાર્શ્વ, તેનો જીવ, તે સુરદેવ નામે બીજો તીર્થકર શ્રી પાર્શ્વનાથના જેવો થશે. પાટલીપુરમાં કોણિક રાજાનો પુત્ર ઉદાયી નામે જે રાજા, તેનો જીવ, શ્રી સુપાર્થનામે ત્રીજો તીર્થકર શ્રીનેમિનાથના જેવો થશે. પોટિલ નામે જે સાધુનો જીવ, તે સ્વયંપ્રભ નામે ચોથો તીર્થકર શ્રીનમિનાથના જેવો થશે. દઢાયું શ્રાવકનો જે જીવ, તે સર્વાનુભૂતિ નામે પાંચમો તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના જેવો થશે. કાર્તિક શેઠનો જીવ જે હમણાં સૌધર્મેદ્ર થયો છે, તે નહીં, પણ બીજા કોઈ કાર્તિક શેઠનો જીવ, તે દેવશ્રુત નામે છટ્ટો તીર્થકર શ્રીમલ્લિનાથની જેવો થશે. શ્રી દિવાલીકલ્પ ૯૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy