SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પછી સર્વ પાખંડીઓની પાસેથી ભિખનો દંડ લેશે. તે વારે આરંભી પરિગ્રહી તો સર્વ આપશે, પણ જે નિરારંભી નિઃપરિગ્રહી હશે, તે આપશે નહીં. તેને કલંકી રોકી રાખશે, ઘણો આક્રોશ કરશે. સાધુઓ કાઉસ્સગ્ન કરી શાસનદેવતાઓ આરાધન કરશે, શાસનદેવતા આવી વારશે તે વારે માનશે. લોકો પાંદડાંમાં ભોજન કરશે. ધાતુનું ભાન કદાપિ કોઈની પાસે હશે તો પણ તે બહાર કાઢશે નહીં. એવા અવસરે પણ જૈનનાં દેરાસરોમાં શ્રીજિનપ્રતિમાઓની પૂજા થશે. સાધુઓ પણ વિહાર કરશે. હવે કલંકીને પચાસમે વર્ષે વરસાદ શ્રીકાર થશે, તેને યોગે ધાન્ય ઘણું મલશે. કેટલેક કાલે ભેખધારી લિંગીઆના લિંગ ત્યાગ કરાવશે, લિંગીઆના કર લેવા માંડશે, તે કલંકીની ડાબી જંઘામાં અને જમણી કૂખને પછવાડે પ્રહર થશે, તે વારે કોઈક તો એમ કહેશે કે, એ શાસનદેવતાએ પ્રહર કર્યો, કોઈક કહેશે કે એનાં કર્મ ઉદય આવ્યાં. પછી ક્યાશી વર્ષે વલી પણ તે કલંકી, સાધુઓની પાસેથી ભિખમાંથી છઠો અંશ લેવા માટે તેમને ગાયોના વાડામાં ઘાલશે, તોપણ મુનિઓ આપશે નહીં. તે વારે સર્વ શ્રીસંઘ મલી શાસનદેવતાનો કાઉસ્સગ્ન કરશે. તેથી શાસનદેવતા પ્રગટ થઈ વલી કલંકીને કહેશે કે અરે મૂર્ખ ! તું સાધુઓને આશાતના ઉપજાવે છે ? તો તે પણ તેનું કહ્યું માનશે નહીં, તે વારે શાસનભક્તિ માટે શકેંદ્રનું આસન ચલાયમાન થશે. ઈદ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રુપ કરી તિહાં આવીને કલંકીને કહેશે કે આ નીરાગીઓને શા માટે રોકી રાખ્યા છે ? કલંકી કહેશે કે સર્વ જણ મુજને કર આપે છે અને એ નથી આપતા, માટે રોકી રાખ્યા છે. ઈદ્ર કહેશે કે કર નહીં આપશે, અને તું છોડી મૂક, નહીં તો અનર્થ થઈ પડશે. એમ કહેશે તોપણ તે ઈદ્રનું વચન માન્ય કરશે નહીં. તે વારે ભાદરવા શુદિ અષ્ટમીએ જ્યેષ્ઠા નક્ષત્રે ઈદ્ર તેને એક થપાટ મારશે તેથી છયાશી વર્ષ આયુ પૂર્ણ કરી કલંકી મરણ પામીને નરકમાં જશે. - પછી તેના પુત્ર દત્તને અરિહંતધર્મ આરાધના કરવાની શિખામણ આપી રાજપાટે થાપી શ્રીસંઘને શાતા ઉપજાવી ગુરુને વાંદીને ઈદ્ર પોતાને સ્થાનકે જશે. પછી પિતાએ કરેલાં પાપોનું અનિષ્ટ ફલ તેને મળ્યું એવું જાણી દા રાજા દેરાસરો કરાવી ધર્મમાં તત્પર થશે, સર્વ પ્રજાલોકોને સુખી રાખશે, તે દત્તનો પુત્ર જિતશત્રુ, તેનો પુત્ર મેઘઘોષ થશે, ત્યાં સુધી તો જિનધર્મ સારી સ્થિતિમાં પ્રવર્તશે. દીવાલી કલ્પના મૂલપાઠમાં કલંકીનો જન્મ સવંત્ ૧૯૧૪ વર્ષે ઈત્યાદિક અનેક રીતે ભિન્ન ભિન્ન વાતો લખેલી દેખાય છે, માટે મુંઝવણ પડ્યાથી ચોકસ નિર્ધાર થઈ શકતો નથી. શ્રી દિવાલીકલ્પ ૮૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy