________________
વહેતી હતી. ત્યારે તેમ નહોતો થયો. એટલે આ બધાં સ્થળોએ સીધું જ જવાતું.
દાદાના શિખર પરનો જે ચાંદીનો કળશ બનાવાયો તે ૯૩૦૬ તોલાનો હતો. અને એને સોનાથી સંપૂર્ણ રસાવીને એ ચઢાવાયો. હાર પણ એટલો જ મોટો ચઢાવાયો. દેરાસરના અંદરના ભાગમાં વર્ષોથી કોઈ પ્રતિમા સ્થાપન થતાં ન હતાં. પરંતુ આ ઐતિહાસિક પ્રસંગની કાયમી સ્મૃતિ તરીકે મોટા મહારાજશ્રીના કહેવાથી પેઢીએ સંમતિ આપી એટલે માકુભાઈ શેઠ તરફથી ત્યાં મેરુ પર્વત બનાવવામાં આવ્યો. આ મેરુ પર્વત આખા આરસનો છે. આમ માકુભાઈના સંઘનું કાયમી પ્રતીક અને સંભારણું આ સ્વરૂપે હજી પણ ત્યાં સચવાયેલું છે. તેની છત્રી પણ આરસની બનાવેલી છે. આમ આ મોટું કાય મહારાજ સાહેબના હસ્તે સુવાંગ પાર પાડ્યું.
વચ્ચે વચ્ચે પણ ઘણાં ઉત્તમ કામો થયાં. ગિરનારમાં સંઘમાળ થઈ ત્યારે અવદાતવિજયજી મહારાજને પંન્યાસપદવી આપવામાં આવી.
અવદાતવિજયજી મહારાજ એટલે ગંભીરવિજયજી મહારાજના શિષ્ય. અવદાતવિજયજી, ભગવાનવિજયજી, પ્રમોદવિજયજી, કેસરવિજયજી આ બધા પ્રમાણમાં વૃદ્ધ સાધુઓને મહારાજ સાહેબે સારી રીતે સાચવેલા. તેઓ મોટે ભાગે ભાવનગરમાં મારવાડી વંડામાં નીચેની બાજુએ રહેતા. ત્યારે નૂતન ઉપાશ્રય બનેલો નહીં.
આ અવદાતવિજયજી મહારાજની પંન્યાસપદવી વખતનો મોટા મહારાજશ્રીનો ફોટો જોતાં તેઓ જાણે દોડતા હોય તેમ ફૂર્તિથી આવી રહેલા જણાય છે. વિધિ કરાવતી વખતે ક્યારેક જ ઉપયોગમાં લેતા હશે તે ચશ્મા પણ એમાં દેખાય છે.
માકુભાઈના સંઘ અગાઉ અમદાવાદમાંથી હેમાભાઈ પ્રેમાભાઈ શેઠનો સંઘ નીકળેલો. ત્યારે જે જે ગામે સંઘ ગયેલો તે તે ગામે જે ચીજ ન હોય તે કરાવી આપતા. આમ ઘણાં સ્થળોએ હેમાભાઈની ધર્મશાળા છે. ગુંદીમાં, જૂનાગઢમાં - જગમાલ ચોકમાં એ આજે પણ મોજુદ છે.
એ જ રીતે મહારાજ સાહેબે પણ જુદે જુદે સ્થળે ચબૂતરો, તળાવ કે ધર્મશાળા કે પછી ગામવાળા કહે તે માટે પ્રેરણા આપતા.
શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા ધરમનું કામ.”
મેઘ જયાંથી પસાર થાય ત્યાં થોડાં પણ અમીછાંટણાં થાય તો ખેતરોને જેમ જીવતદાન મળે, તેમ સંઘના પ્રમાણમાર્ગે આવતાં ગામોને આવા પુણ્યલાભો મળતા રહે એ પણ સંઘ કાઢવાનો એક આશય છે.
માકુભાઈ શેઠ કાઢેલા સંઘ જેવો અજોડ સંઘ ત્યારપછી રાજનગર અમદાવાદને આંગણેથી હજી સુધી નીકળ્યો નથી.
આવાં નેત્રદીપક કાર્યોની વાતો હજી ઘણી કરવાની બાકી છે. તે અગ્રે અધિકાર
એતિહાસિક કાચ્ય-૨ : ૬
૮ 3
Jain Education international 2010-02
-
* For Private & Personal Use Only
www.jainelibrary.org