SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તસમ્રાટ પ્રવચનમાળા ૮૨ Jain Education International 2010_02 યાત્રિકોનો એક સાથે મુંડકાવેરો આપી દેવા સમ છીએ. પણ જો અમે આવો મુંડકાવેરો ભરીએ તો અમારા પછી પણ જે સંઘ અહીંયાં આવે તે દરેકને મુંડકાવેરો ભરવો પડે. માટે કોઈપણ સંજોગોમાં મુંડકાવેરો ભરીને અમે ગોડલામાં આવવા માગતા નથી.’ ગોંડલના મહારાજાને ખબર પડી કે સંઘ આ રીતે બારોબાર જઈ રહ્યો છે. પરંતુ તેમના પેટનું પાણી પણ ન હલ્યું. પણ તે વખતે રાણીબાને સમાચાર મળતાં એમણે ઠપકો આપીને કહ્યું કે, ‘આ બધા જાત્રા કરવા નીકળ્યા છે. આ પુણ્યાત્માઓનાં પગલાં આપણા નગરમાં થાય તો તે પવિત્ર બની જાય. તમે કેવળ પૈસા ખાતર એમને ના પાડો છો ? રાણીનાં આ વચનોથી મહારાજાને ઝાટકો લાગતાં એમણે દીવાનને મોકલ્યા. આખા નગરમાં વાત પહોંચી. સંઘ એક મુકામ તો આગળ પ્રયાણ કરી જ ગયો હતો. દીવાન ત્યાં ગયા. મહારાજ સાહેબે તેમની સાથે વાત કરવાની ના પાડી. દીવાન કહે, ‘કૃપાળુ, અમે નિર્ણય બદલ્યો છે. અમે સંઘને આમંત્રણ આપવા આવ્યા છીએ.’ દીવાનની સાથે એક વોરા કરીને વ્યક્તિ આવેલી. એણે પણ સંઘને પાણી પીવડાવવાની અને એક દિવસનો બધો લાભ લેવાની ઇચ્છા પ્રગટ કરેલી. એટલે આખરે સંઘ વળી પાછો એક મુકામ વચ્ચે કરીને ગોંડલ તરફ ગયો. અને ગોંડલમાં પ્રવેશ થયો. કહેવાય છે કે પછી તો ગોંડલના મહારાજાએ પણ લાલ જાજમ બિછાવીને સંઘનું સામૈયું કર્યું. આવા તો કંઈક નાના મોટા પ્રસંગો બનતા રહ્યા. વચમાં સંઘના કેટલાક યાત્રિકો ભૂલા પણ પડી ગયેલા. બદરખા ગામે મુકામ થયો ત્યારે મહારાજ વિહાર કરીને આવીને સીધા તંબુની બહાર જ પાટ પર બેઠા. તંબુમાં ન ગયા. બધાએ આગ્રહ કર્યો ત્યારે કહે, ‘જ્યાં સુધી યાત્રિકોની વ્યવસ્થા નહિ ગોઠવાય ત્યાં સુધી હું અંદર જઈશ નહિ. લોકો માકુભાઈને નથી ઓળખતા, અમદાવાદથી સંધ આવ્યો છે તે રીતે ઓળખે છે. માટે સંઘના માણસો હેરાન થાય તે મારાથી જોઈ શકાય એમ નથી. માટે પહેલાં તેમની વ્યવસ્થા કરો, પછી હું અંદર જઈશ. ’ અને તરત જ પહેલી હરોળના અગ્રગણ્ય માણસો કામે લાગી ગયા. ભાવનગર રાજ્ય, ધ્રાંગધ્રા રાજ્ય, લીમડી દરબાર વગેરેની સામગ્રી આવી ત્યારે આ સંઘ આગળ જઈ શક્યો. આમ મહારાજ સાહેબે દરેક વખતે પોતાનું નિશ્રાપદ-નેતૃત્વ નિભાવ્યું છે. માકુભાઈની ઉદારતા પણ એવી જ. આ રીતે સંઘ ગિરનાર અને ગિરનારથી ગિરિરાજ આવ્યો. મહા વદ-૫ ને દિવસે સંઘની માળ થઈ. આમ માગશર વદ ૧૦ થી મહા વદ ૫ સુધીના ૫૫ દિવસોના આ વિરાટ સંઘનું આખું કાર્ય હેમખેમ પાર પડ્યું. એ સમયમાં લોકોની નિરાંત પણ કેવી ! માળારોપણ થયા પછી એ સંઘ પાછો બાર ગાઉની જાત્રાએ નીકળ્યો. કદમ્બગિરિ, હસ્તગિરિ એ બધાં ગામોમાં શત્રુંજી નદી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy