________________
શાસનસમ્રાટ પ્રવચનમાળા
S0
Jain Education International 2010_02
જ એ કહેવાય. વાંચવા જોઈએ ત્યારે લીધાં, રાખ્યાં ને પરત કરી દીધાં. આ વ્યવસ્થાચિહ્ન એમણે બરાબર જાળવ્યું.
એકવાર ચૌખમ્બા પુસ્તકાલયવાળાઓએ વિચાર્યું કે આ પંડિત નારાયણ સુંદર છે કોણ ? તેથી રીતસર પુસ્તકાલયના માલિકે તેમના માણસને નારાયણ સુંદરની મુલાકાત માટે મોકલ્યો. તે માણસ ચિઠ્ઠી લઈને પાંજરાપોળ આવ્યો. મહારાજ સાહેબે પૂછ્યું, ‘કોનું કામ છે ?’ પેલો કહે, ‘નારાયણ સુંદર પંડિતનું કામ છે.’
આ નારાયણસુંદર વર્ષો સુધી મહારાજશ્રીની સેવામાં રહ્યા અને મહારાજ સાહેબે તેની સ્મૃતિ પણ ઊભી કરી. આ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજના શિષ્ય મોક્ષરત્નવિજયજી (જેઓ કાળધર્મ પામી ગયા)ને ભણવા માટે કેટલાંક નવ્યન્યાયના પુસ્તકો જોઈતાં હતાં તે ક્યાંયથી ન મળ્યાં, પણ પાંજરાપોળ - જ્ઞાનશાળામાંથી મળ્યાં.
આવી તેમની જ્ઞાનપ્રીતિ હતી, ઉપાસના હતી. આ સિવાયના પણ બીજા ઘણા ગુણો છે તેનું વર્ણન હવે પછી જોઈશું.
For Private & Personal Use Only
www.jainelibrary.org