________________
મહારાજ સાહેબની આ નીડરતા, આ શૌર્ય, આ વિશ્વાસઅહીં કામમાં લાગે છે, જેવા તે લોકો આવ્યા ત્યારે મહારાજ સાહેબેકહ્યું, ‘તમારામાંથી એક જણ વાટાઘાટો ક૨વા આવે. હું તૈયાર છું.' આ વખતે બારણાં બંધ કરી દેવાયાં હતાં અને મહારાજ સાહેબ આ વાક્ય ધાબામાં આવીને બોલ્યા હતા, જેથી નકામું લડાઈ જેવું વાતાવરણ ન થઈ જાય. અહીં પલાયન થવાની તો વાત જ નથી.
એમને બોલાવ્યા. વાતચીત કરી, ‘તમે જેમ એમને માનો છો એમ અમે પણ માનીએ છીએ.’ આટલા ઉદ્ગારથી જ એમના વતીથી આવેલા ભાઈ અડધા થઈ ગયા. મહારાજશ્રીએ આગળ કહ્યું, ‘માનતા હતા માટે જ વિધિપૂર્વક લાવ્યા છીએ અને સારી જગાએ બિરાજમાન કર્યા છે. ઊંચી જગાએ બિરાજમાન કરવાનો અમારો પ્રયત્ન છે.’
આ બધું ચાલતું હતું તે જ વખતે જોધપુરથી પચાસેકની સંખ્યામાં પોલિસ આવી ગયેલી. જાલન ધનજીએ તેની વ્યવસ્થા કરેલી. ટોળું પોલિસને જોઈ વિખેરાઈ ગયું. આગેવાનોને વાટાઘાટો દ્વારા શાંતિ મળી અને વિધિપૂર્વક ભેરૂજીની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ ત્યાં છે. આમ વર્ષોથી ચાલી આવતી ઘોર આશાતના મહારાજ સાહેબે જાનનું જોખમ લઈને દૂર કરી. આજે પણ સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનથી શોભતું કાપરડા તીથ એ સ્વરૂપે અનેક લોકોને આકર્ષી રહ્યું છે. આટલું મોટું કામ કર્યા પછી પણ ત્યાં મહારાજ સાહેબનો લાગ, ભાગ, હિત, હિસ્સો, હક કશું જ નહીં. ત્યાંનો સ્થાનિક વહીવટ સ્થાનિક માણસો સંભાળે છે.
મહારાજ સાહેબની હિંમત જોઈને બીજા લોકોને પણ પગમાં જોર આવે કે, ‘મહારાજ સાહેબ છે. આપણને હરકત નહીં આવે. તેઓ આટલી બધી ઝીંક ઝીલે છે તો આપણે હવે જોડે રહો.' અને એમ પછી તો જોડાનારા મળી આવે છે. પરંતુ નીડરતાભરી લીડરશિપ એ માણસનો પ્રાણ જે છે એ અગત્યનો છે.
કદમ્બગિરિ, રાણકપુર, કાપરડા, શેરીસા દરેકનો ઈતિહાસ જુદો છે. બધામાં કશીક વિશેષતા છે. શેરીસામાં દેવતાનો આદેશ મળ્યો છે, કદમ્બગિરિમાં દેવતાએ સ્વપ્ન આપ્યું છે. કામળિયાઓને આવેલા સ્વપ્ન પછી આ જગા મળી છે.
એ પ્રદેશના કાઠી દરબારો - એમની કરડાકી, એમની ભાષા, એમનો વ્યવહાર જુઓ તો ઊભા ના રહી શકો. એમની પાસે. આવા માણસો પાસે મહારાજ સાહેબે પ્રેમથી કામ લીધું છે. બધાને સેવક બનાવીને કામ લીધું છે. કામળિયાઓ, દરબારો મહારાજ સાહેબ પાસે કલાકો આવીને બેસતા અને તેઓ એમની રીતે એમની ભાષામાં એ સહુને સલાહ આપતા. તકલીફમાં આવી પડે ત્યારે એ લોકો મહારાજ સાહેબ પાસે શીખામણ માટે આવતા.
પહારાજશ્રી અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી :
ભાવનગરના દીવાન પ્રભાશંકર પટણીએ એમના દીકરા અનંતરાય પટણીને પોતે વર્ગવાસી થયાના બે દિવસ અગાઉ શીખામણના આ શબ્દો કહેલા, ‘જો તને રાજકામમાં કલીફ પડે, ગૂંચ પડે, તારા અંગત કૌટુંબિક જીવનની પરિસ્થિતિ તું સુલઝાવી ન શકે તો રે વખતે કદમ્બગિરિના દાઢીવાળા મહારાજ સાહેબ પાસે જજે. તેઓ તને ઉકેલ લાવી ખાપશે.’
Jain Education International 2010_02
For Private & Personal Use Only
જ્ઞાનોદ્ધાર : ૪ ૫૩
www.jainelibrary.org