SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૫૪ Jain Education International 2010_02 ભાવનગરના મહારાજા ભાવસિંહજીના સમયમાં આવેલા પ્રભાશંકર પટણી જે એમના કુશળ અને બુદ્ધિપૂર્વકના વહીવટ માટે જાણીતા અને હજારો માણસો સાથે જેમનો સંપર્ક અને પરિચય, તેમણે કોઈનું નામ ન દેતાં સલાહ માટે દીકરાને મહારાજશ્રીનું નામ કેમ આપ્યું ? મહારાજશ્રીનો એક બીજો પ્રસંગ પણ નોંધવા જેવો છે. અમૃતવિજયજી મહારાજના શિષ્ય ખાંતિવિજયજી હતા. એ ખાંતિવિજયજીએ મહારાજ સાહેબ સાથે રહેવાની ઇચ્છા કરી અને અમૃતવિજયજી મહારાજ જોડે જવાની ના પાડી. તે વખતે મહારાજ સાહેબ પાસે ૩૫ થી ૫૦ માણસો. વળી ત્રણ ગામના ત્રણ સંઘો કેટલાંક કારણોસર આવેલા. ત્યારે પણ મહારાજ સાહેબે જ્ઞાનશાળાના ઉપરના માળે જઈ ખાંતિવિજયજીને પોણો કલાક સમજાવ્યા અને સમજાવીને અમૃતવિજયજી સાથે મોકલ્યા. ‘આનું ભલું શેમાં છે ?' એ જ મહારાજશ્રીની દૃષ્ટિ. પોશીના મહારાજશ્રીનું પોશીનાનું કામ પણ અગત્યનું છે. જોકે એની જોઈએ એવી નોધ લેવાઈ નથી. પોશીના બે છે. નાના પોશીના અને મોટા પોશીના. સાબરકાંઠામાં ઈડર પાસે આવેલાં બે ગામ. અંતરિયાળ જંગલની અંદરનાં એ તીથો. સારાભાઈ ડાહ્યાભાઈએ અમદાવાદથી કેશરિયાજીનો સંઘ કાઢેલો. એ સંઘયાત્રામા નાના પોશીના વચ્ચે આવે. ત્યાં દિગંબરોનું જોર. મૂળ તો શ્વેતાંબરીય પ્રતિમાજી ત્યાં હતાં. પણ આવેશમાં આવીને બન્ને પક્ષો દ્વારા ખોટાં કામો પણ થયાં છે. ઝનૂન ધર્મનું નથી હોતું, પક્ષનું જ હોય છે. ધર્મ કદી ઝનૂન શીખવી ન શકે. મહારાજ સાહેબે દિગંબર લોકોને સમજાવ્યા અને લાગ્યું કે કદાચ હુમલો થશે. ત્યાંના જે સ્થાનિક શ્રાવકો હતા એ લોકોએ કહ્યું કે અમારે આવા વાતાવરણ વચ્ચે રહેવું કેમ ? મહારાજ સાહેબના કહેવાથી ચક્ષુ લગાવ્યાં અને ત્યારે સારાભાઈ ડાહ્યાભાઈએ બે વરસ સુધી ત્યાં સિપાઈઓ મૂકીને તેમનું સંરક્ષણ કર્યું. મને ચોક્કસ વિશ્વાસ છે કે સમય જશે તેમ મહારાજ સાહેબનું કાર્ય વધુ ને વધુ બોલશે. કેમ કે હજુ સુધી તો આપણે વામણા થતા ગયા છીએ અને હજુ દસેક વર્ષ એવાં આવે છે જે વધુ ખાડાવાળાં હશે. વળી પાછો આપણો ચઢાવનો ટેકરો અવસર્પિણીકાળમાં આવવાનો છે. ચાણસ્મામાં ચોમાસું : ‘એલોપથી' દવા સામે અડગ રહ્યા : ભાવપ્રકાશ'માંનો ઉપચાર : વિ.સં. ૧૯૮૧નું ચોમાસું ચાણસ્મામાં હતું. એ ચોમાસામાં મહારાજ સાહેબને અણઉતાર તાવ આવ્યો. તાવ કોઈ સંજોગોમાં ઊતરે નહિ. દવા લેવા માટેના પ્રયતો થયા. મહારાજ સાહેબ ‘એલોપથી'ની દવાઓને અડતા સુધ્ધાં નહિ. કાળધર્મ પામ્યાના આગલા દિવસોની વાત છે. મહારાજ સાહેબે કહ્યું, ‘ડૉક્ટર, મેં અત્યાર સુધીની મારી જિંદગીમાં ઈંજેક્શન લીધું નથી. તો હવે તમે મને શા માટે આપો છો ? મારી ઇચ્છા નથી.’ ડૉક્ટરે કહ્યું, ‘આપની ઇચ્છા નથી તો નથી આપતો.' ડૉક્ટરે કાઢેલું ઈંજેક્શન મૂકી દીધું. બીજા બધા લોકો જોતા રહી ગયા. પછી મહારાજશ્રીએ નન્દનસૂરિ મહારાજને કહ્યું કે ‘ડૉક્ટર કેટલા સારા છે ? મારી ઇચ્છા ન હતી તો ઈંજેક્શન ન આપ્યું.’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy