________________
તેરાપંથીઓ આવ્યા અને એમની સાથે વાદ કયો. બધે જ એમની પ્રતિભા, એમનું પુણ્ય ખૂબ જ કામ કરી ગયાં છે.
સં. ૧૯૭૨માં જયારે વિજયવલ્લભસૂરિ મહારાજ ઉદેપુરમાં એમને મળ્યા ત્યારે કહ્યું કે, ‘આપ અમદાવાદ પધારો. સંમેલનનું નેતૃત્વ તમે લો. સંમેલનની તેયારી કરાવો. તમારા હાથે સંમેલન થશે. અને સંઘ માટે એ બહુ જરૂરી છે.’ બીજા રોપણ થયેલી આ ઘટના હેઠ સં. ૧૯૯૦ની અંદર સાર્થક બની અને સંમેલન અહીં અમદાવાદમાં થયું.
- વલ્લભસૂરીશ્વરજી મહારાજે પૂજ્યપાદેશીને કહેલા શબ્દો એ કેવળ એમને સારુ લગાડવા માટે ન હતા. એ સપ્રયોજન હતા. એમનામાં પણ ભારોભાર શાસનદાઝ હતી. કાપરડાજી તીર્થ : ભરૂજીની મૂર્તિ સંદર્ભે પડકારરૂપ કાર્ય :
રાણકપુર, શેરીસા, માતર, વામજ, કુંભારિયા, પોશીના - એ બધાં તીથોમાં | મહારાજ સાહેબે રસ લીધો. એ બધાં કામો પ્રમાણમાં સરળ હતાં. દોડવું હોય અને ઢાળ | મળે તેવાં હતાં. પણ એમણે અઘરામાં અઘરું કામ જે કાપરડાજી માં કર્યું છે એની તોલે કોઈ ના આવે. ત્યાં એમની આકરામાં આકરી કસોટી થઈ છે. જાનની બાજી લગાવવી પડી છે, પણ એમાં તેઓ પગની પાની જેટલું પણ પાછા નથી પડ્યો.
81(નોદ્ધાર : ૪
૫૧
Jain Education
tema konal 2018-02
For private casonal use only
www.jainelibrary.org