________________
મૂળચંદજી મહારાજનો વિદ્રોહ :
પણ મૂળચંદજી મહારાજ એક એવા ભડપુરુષ થયા. સારું-ખોટું તો ઈતિહાસ કહેશે પણ એમણે પાલિતાણામાં પ્રવેશ કરીને તે દિવસે ન ક૫ડો આપ્યો, ને તો એ દિવસે વ્યાખ્યાન બંધ રાખ્યું અને એ જ દિવસે સામૈયું કરાવ્યું. નાની ટોળી તરીકે પ્રસિદ્ધ થયેલો ઉપાશ્રય મૂળચંદજી મહારાજે શરૂ કરાવેલો, મોટી ટોળીમાં શ્રી પૂજ્ય હતા. અને નાની ટોળીમાં તેઓ રહ્યા. આજે પણ તે ઉપાશ્રય નાની ટોળીનો કહેવાય છે. પેઢીમાં મોટા દહેરાસરે જઈએ તેની લાઈનમાં જ એ છે. ત્યાંથી આગળ જતાં ગોડી પાર્શ્વનાથના દેરાસરની બાજુમાં મોટી ટોળીનો ઉપાશ્રય છે. એ સાધુઓ સફેદ કપડાં પહેરતા હતા. સંવેગીઓએ પીળાં કપડાં પહેરવાની શરૂઆત પુજ્યપાદ સત્યવિજય મહારાજથી શરૂ થયેલી.
પંન્યાસ સત્યવિજયજી મહારાજ પૂજય સિંહસૂરિજી મહારાજના મુખ્ય શિષ્ય. એમણે ક્રિયોદ્ધાર કર્યો, પીળાં કપડાં પહેરવાની શરૂઆત કરી. ત્યારે સાધુઓની સંખ્યા ઓછી, પણ પરસ્પર પ્રેમભાવ પુષ્કળ, બધાએ ભેગા થઈને જૈન શાસનનું કામ કરવું - સંઘનું કામ કરવું એ એક જ લગની. શક્તિ છે તો બસ તેના માટે જ કામ કરો. તે સિવાય જૈનશાસન નહીં ટકે. આપણને નિમિત્ત મળ્યું છે તો ઝૂકી પડો.” એક સાધુ આપત્તિમાં આવે તો બધા સાધુ મદદે પહોચતા. અંતરિક્ષજી બાબતે જાગરૂકતા :
આ પૂજયપાદ સાગરજી મહારાજ અંતરિક્ષજીમાં પધાર્યા. ત્યાં દિગંબરો સાથે અથડામણથી કોર્ટમાં કેસ ચાલ્યો, મુશ્કેલીમાં મુકાયા. તે વખતે મહારાજશ્રી મહુવા પાસેના ગામડામાં હતા. ત્યાંથી તળાજા આવ્યા અને તળાજામાં રહીને તાર-ટપાલ કરીને માણસોને બોલાવ્યા, વકીલોને બોલાવ્યા. મોતીલાલ ગિરધરલાલ કાપડિયા અને મુખ્ય દીવાનને બોલાવીને બારસી મોકલ્યા, માત્ર જુબાની આપવા. શું જુબાની આપવી એનો આખો મુસદ્દો પોતે લખાવ્યો. પોતે બેઠા હતા તળાજા, કેસ ચાલતો હતો બારસી, સાગરજી મહારાજ અંતરિક્ષજીમાં. પણ સાગરજી મહારાજ આપત્તિમાં આવ્યા છે તો કોઈ પણ રીતે તેમને મદદે જવું એ ભાવના. આ પરસ્પરનો પ્રેમ, લાગણી અને સહાયક થવાની લગની. આ જયારે દેખાય છે ત્યારે તમારે સાચા અર્થમાં બોલવું જોઈએ કે ત્યાં ચોથો આરો છે. ત્યારે આંખમાં અમી હોય છે. મહારાજ સાહેબના વખતમાં એ દેખાય છે.
એકેએક ક્ષેત્રમાં એમની આ પ્રતિભાના બળથી શ્રી ગંભીરવિજયજી મહારાજે ચાર્યપદવીના સંદર્ભે એમને કહ્યું કે, ‘તમારે કશું બોલવાનું નથી ને આ પદ સ્વીકારવાનું છે. ' પણ મહારાજ સાહેબે ના પાડી. સં. ૧૯૬૦માં વલભીપુરમાં પંન્યાસ પદવી થયા પછી પોતે વિચ, ૬ ૧-૬૨-૬૩નાં વર્ષોમાં અને મોટાં કામો કર્યા. ખંભાતનાં અપૂજ દહેરાંનો પ્રશ્ન ઉકેલ્યો :
ખંભાતમાં કેટલાંક દેરાસરો, વંશ હયાત ન હોવાથી, અપૂજ રહેતાં હતાં. મહારાજ સાહેબે લોકોને સમજાવીને ૧૯ દેરાસરો ભેગાં કરી એક દહેરું બનાવ્યું જે આજે પણ મોજુદ છે. એમાં જીરાવાલા પાર્શ્વનાથ મુખ્ય છે. '૬૧, '૬ ૨માં આ કામો થયાં જે વખતે ખંભાત નીતિવિજયજી મહારાજ સાહેબનું કહેવાતું હતું. પૂજયપાદ નીતિવિજયજી એ સાગરજી મહારાજના ભાઈ શ્રી મણિવિજયજી મહારાજના ગુરુ થાય, એ સીધા
સૂરિપદારોપણ અને તીર્થોદ્વાર : 3
3૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org