SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જે ચીજો તમે ઈચ્છા કરીને મેળવો છો એના ઉપર રાગ થયા વિના રહેતો નથી. જે ચીજો તેના પ્રભાવે સામેથી આવી, તે અંગેનું કાર્ય કરી લીધું ને પોતે ખસી ગયા. આવાં તો કેટલાંય કામો થયાં છે જેમાંનાં કેટલાંક કદાચ નોધાયાં પણ ન હોય. આંગળી ચીંધી, કામ થયું, આગળ નીકળ્યા. ક્યાંય કશામાં તેઓ લોભાયા નથી. પોતાનું કતૃત્વ કાયમ નથી કર્યું. વિદ્યાભ્યાસના પંડિતો સાગરજી મ.ને વ્યાકરણ ભણાવ્યું પૂજયપાદે કરેલા વિદ્યાભ્યાસના, પંડિતો દિનકરરાવ શાસ્ત્રી અને શશિનાથે ઝા સાક્ષી રહ્યા છે. ૧૯૫રના ચોમાસામાં વઢવાણમાં “પરિભાષેન્દુશેખર' કર્યું. એ ચોમાસું પૂરું કરીને મહારાજ સાહેબ અમદાવાદ અને અમદાવાદથી લીબડી પધાયા. તે વખતે પૂજ્યપાદ સાગરજી મહારાજ મળ્યા. તેમણે મહારાજશ્રીને વિનંતી કરી કે મને વ્યાકરણ શીખવો. તે ને તે દિવસે વ્યાકરણ શરૂ કરવામાં આવ્યું. આ સાગરજી મહારાજ તે આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. તેઓ આજે સંઘમાં સાગરજી મહારાજ તરીકે જાણીતા બનેલા છે, અને “આગમોદ્ધારક એવું બિરુદ એમને મળેલું છે. આગમમંદિર અંગે મહત્ત્વનું સૂચન: આ સાગરજી મહારાજ આગમ મંદિર - માત્ર આગમોનું મંદિર બનાવવાનું વિચારતા હતા. મહારાજ સાહેબે એમને સામેથી કહ્યું, ‘તું એકલાં આગમો રાખીશ તો તારા દહેરામાં કોઈ નહીં આવે. સાથે ભગવાન પધરાવવામાં આવે તો લોકો આવશે.' આ શિખામણ સાગરજી મહારાજે તૂર્ત સ્વીકારી અને ત્યાર પછી પ્રભુજી પધરાવીને આગમમંદિર બનાવ્યું. આજે સૌ સાક્ષી છે કે લોકો અંદર શા માટે જાય છે. જઈને અંદર શું કરીને આવે છે. આ નાડ પારખવાની શક્તિ આજે કેટલાની ? શ્રી સંઘમાં આ આગમમંદિર જાણીતું બન્યું, પ્રભુજી પધરાવ્યા તો. લીબડી મુકામે સાગરજી મહારાજે તેમની પાસે વ્યાકરણ શીખવાનું શરૂ કર્યું, ત્યારથી એમની જોડે રહ્યા. વલભીપુરમાં પોતાની પંન્યાસપદવી થયા પછી ભગવતીસૂત્રના જેગમાં પણ સાગરજી મહારાજ નેમિસૂરિ મહારાજની પાસે રહ્યા છે. શ્રીપૂજ્યોનું સામ્રાજ્ય : ત્યારે શ્રી પૂજ્યનું સામ્રાજ્ય હતું. શ્રી પૂજય જે ગામમાં બિરાજમાન હોય તે ગામમાં સાધુ ભગવંત એમ ને એમ પ્રવેશ ન કરી શકે. ઓછામાં ઓછો એક કપડો એમને ભેટ કરવો પડે. સંવેગી સાધુનું સામૈયું ન થઈ શકે. શ્રી પૂજય જે સમયે વ્યાખ્યાન ફરમાવતા હોય ત્યારે તે સમયે સંવેગી સાધુ વ્યાખ્યાન ન આપી શકે. જો નવ વાગ્યે શ્રી પૂજયનું વ્યાખ્યાન હોય તો સંવેગી સાધુનું વ્યાખ્યાન કાં સાત વાગ્યે રખાય કાં દશ વાગ્યે, પણ નવ વાગે તો ન જ રખાય. આટલી હકૂમત મૂળચંદજી મહારાજના સમય સુધી હતી. Qાસ સમ્રાટ પ્રવચofભાગ 3 ૪ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy