SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ પ્રવચનમાળા ૮૮ Jain Education International 2010_02 અમારા ગુરુ પંજાબના હતા. સ્થાનકવાસી હતા. અહીંયાં આવીને સંવેગી દીક્ષા સ્વીકારી. એમના ગુરુ મણિવિજયજી મહારાજ પરમ વયોવૃદ્ધ. અમે કલમી આંબા છીએ. આપ સાચા આંબા છો. આપ ગુજરાત પધારો. આપને અમે આચાર્ય તરીકે સ્વીકારીએ છીએ. આપ સંવિગ્ન પરંપરાનો સ્વીકાર કરો. છડી, છત્ર, ચામર વગેરે શ્રીપૂજ્યના આચાર તરીકેનો જે વૈભવ છે એ આપે છોડી દેવાનો, એક સાધુ તરીકેના આચારનો સ્વીકાર કરવાનો, અને હમણાં તો પીળાં વસ્ત્રો પહેરવાનાં. અમે બધા જ આપને આચાર્ય તરીકે સ્વીકારીશું. આપ જરૂર અમદાવાદ પધારો. સંઘને ભેગો કરીને બધાની વચ્ચે આપને આ સ્વરૂપે અમે દેખીએ.' મહારાજશ્રીના આ પ્રસ્તાવનો શ્રીપૂજ્યે સ્વીકાર કર્યો અને કહ્યું, ‘ગુજરાત જઈ મને કહેણ મોકલજો. હું આ રીતે વિચાર કરીશ.’ તેઓ ખૂબ જ ભદ્રિક અને સરળ હતા. અને મહારાજ સાહેબે એમને એ સ્વરૂપે જોયા અને જે સ્વરૂપે વાત મૂકી, એનો પણ એમણે સ્વીકાર કર્યો. પહેલાં પણ આ વાત કરી હતી અને આજે ફરી કહું છું કે આ સંસ્થા તરફ કદી તિરસ્કારભરી નજરે જોશો નહિ. જોકે આજે તો તેઓનું અસ્તિત્વ પણ રહ્યું નથી. પણ આ પરંપરાના યતિઓએ કેટલાં મોટાં કામો કર્યાં છે એ આપણે ભૂલવું ન જોઈએ. કાપરડાજીનું દહેરું પણ એક યતિ મહારાજે બાંધેલું છે. યતિ મહારાજની પોતાની ભાવના થઈ કે આ એક સુંદર સ્વયંભૂ પાર્શ્વનાથ બિરાજમાન કરવા કંઈક કરવું જોઈએ અને એમણે ભાવના કરીને શ્રાવકને પ્રેરણા કરી. એ શ્રાવક દ્વારા આખાયે દહેરાનું નિર્માણ થયું છે. એ જ રીતે સુરતમાં કાષ્ટકોતરણીવાળું ચિંતામણિ પાર્શ્વનાથનું વર્ષો જૂનું દેરાસર એક ઐતિહાસિક જિનાલય છે. યતિ મહારાજના પ્રભાવથી એ બંધાયું છે. આજે પણ યતિ મહારાજ કેટલાક લોકોને ત્યાં દર્શન આપે છે. આવાં તો એમના થકી થયેલાં કેટલાંયે કામો છે જેની નોંધ લીધા વિના એકલો તિરસ્કાર કદી કરી શકાય નહીં. આમંત્રણનો સ્વીકાર પણ સ્વપ્ર સાકાર થયું નહિ : મહારાજ સાહેબ દ્વારા મુનિચંદ્રસૂરિને આ પ્રસ્તાવ સં. ૧૯૭૬માં મુકાયો. ’૭૭માં મહારાજશ્રી ગુજરાત પધાર્યા. બીજી બાજુ મુનિચંદ્રસૂરિ મહારાજ ઉદેપુરથી વિહાર કરી ખુડાલા પધાર્યા. ખુડાલા એમની મૂળ ગાદી અત્યારે પણ છે. ફાલના સ્ટેશનથી દોઢ બે કિલોમીટર દૂરનું ગામ. અંદરના ભાગમાં જે બે દેરાસરો એમાંના એકમાં એમની ગાદી છે. એમનું નામ, સ્થાન વગેરે ત્યાં લખાયેલાં અત્યારે પણ જોવા મળે છે. તેઓ ત્યાં ગયા ને કોઈ અકળ કારણસર કેટલાંક દુષ્ટ તત્ત્વો દ્વારા તેમની હત્યા કરવામાં આવી. આમ તેઓ અકાળે અવસાન પામી ગયા. એમની સાથે જ શ્રીપૂજ્યોની પરંપરા ત્યાં સમાપ્ત થઈ. અલબત્ત, એમણે પોતાના એક અનુયાયીને સ્થાપ્યા હતા. પણ એ અનુયાયીમાં એવું કોઈ દૈવત ન હતું કે તેઓ એવા ખાનદાન કુળના વિશિષ્ટ અભ્યાસી ને વિનયી સાધુ ન હતા કે એ પરંપરાને આગળ લંબાવી શકે. સં. ૧૯૭૭માં ગુજરાત પહોંચ્યા પછી મહારાજ સાહેબને સમાચાર મળ્યા કે મુનિચંદ્રસૂરિજીનો કાળધર્મ થઈ ગયો છે. મહારાજશ્રીને બહુ દુઃખ થયું ને પેલા પ્રસ્તાવવાળી વાત આમ જ અધૂરી રહી ગઈ. નહિતર, એ દ્વારા તેઓ આખી એક પરંપરાને પુનર્જીવિત કરા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy