SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શક્યા હોત. એમની પાસે એ દૃષ્ટિ હતી, અનુભવ હતો, સૂઝ હતી અને એ અધિકાર હતો. પાંચ પ્રસ્થાનની ઓળી : સૂરિમંત્રના પાંચે પ્રસ્થાનની ઓળીની શુભ શરૂઆત કરનારા આ કાળના સૌ પ્રથમ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ હતા. ખુદ તેમણે પોતે પણ પહેલા પ્રસ્થાનની ઓળીની આરાધના શરૂ કરીને વચમાં આચાર્યપદવીનો સ્વીકાર કર્યો છે. અને તે પછીની બાકીની ચાર ઓળી અને ચાર પીઠિકા કરી એની સમગ્ર જાપવિધિ શોધી કાઢી. ઉદયસૂરિ મહારાજ : સૂક્ષ્મ દૃષ્ટિ અને ઊંડી સૂઝ : ઉદયસૂરિ મહારાજ પાસે પણ આગવી કોઈ કુદરતી બક્ષિસ હતી. વિધિવિધાનમાં, શિલ્પસ્થાપત્યમાં, જ્યોતિષમાં, વાસ્તુશાસ્ત્રમાં એમની અંદરની સૂઝ ઘણી હતી. છેલ્લે તો આંખનું તેજ ઘટી ગયેલું. ત્યારે કોઈ દેરાસરમાં પ્રવેશે, માત્ર ભીંત ઉપર હાથ ફેરવે અને કહી દેતા કે, ‘આ દેરાસરમાં અમુક દોષ છે. અહીં પ્રભુની દૃષ્ટિ બરાબર નથી.' આવી એમની વિશિષ્ટ સૂઝબૂઝ. તેઓ અવાજને ઓળખી લેતા. વીસ વરસ પછી પણ જો કોઈ શ્રાવક મળે તો તેઓ એને ઓળખી લેતા. આવી એમની સતેજ સ્મૃતિ. સં. ૨૦૦૯માં આ ઉદયસૂરિ મહારાજ જ્યારે રાણકપુરની પ્રતિષ્ઠા કરવા પધાર્યા ત્યારે ગામેગામ ગોચરી વાપર્યા પછી ગામના દેરાસરની અંદર જાય ને તરત કહે, ‘અહીં વેધ થાય છે. અહીં બારણું બરાબર નથી. અહીં પગથિયાં કરેલાં નથી.' આ બધું સ્હેજે સ્હેજે બોલવા લાગતા. આવી દૃષ્ટિ માત્ર શિલ્પસ્થાપત્ય પરત્વે જ નહીં, ક્રિયામાં પણ હતી. આ અમારા જોગની ક્રિયાઓ, આ કાલગ્રહણ વિધિ, આ પાટલીની વિધિ, સંઘટ્ટાની વિધિ આ સ્વરૂપે આપણે ત્યાં હતી જ નહિ. કારણ કે જગદ્ગુરુ મહારાજ પછી એ યોગની જે પરંપરા ચાલી એ પદ્મવિજયજી મહારાજ સુધી બરાબર ચાલી. પણ પછી એ પરંપરા બરાબર જળવાઈ નહિ. રૂપવિજયજી મહારાજ પછીનો કીર્તિવિજયજી મહારાજ, કસ્તૂરવિજયજી મહારાજ, મણિવિજયજી મહારાજ સુધીનો લગભગ ૫૦/૬૦ વર્ષનો જે ગાળો ગયો એમાં આ બધી ચીજો લગભગ લુપ્તપ્રાય થઈ ગઈ. જોકે, આમ તો આ બધા ઉચ્ચતમ કક્ષાના આરાધકો હતા. પૂજ્યપાદ મણિવિજયજી મહારાજે દીક્ષા લીધી તે દિવસથી તેમણે ઠામ પાણી, ઠામ ચોવિહાર, એકાસણાં જાવજીવ કર્યાં છે. માસક્ષમણના પારણે પણ ઠામ પાણી, ઠામ ચોવિહાર અને એકાસણું જ કર્યું છે. ખરેખર, નૈમિત્તિક તપ કરતાં નિત્ય તપ ઘણું ચડિયાતું છે. એક દિવસ, મહિનો, વરસ, બે વરસ સુધી એ કરવું સહેલું છે. પણ યાવજ્જીવ આવી રીતે નિષ્ઠાપૂર્વક એક તપ લાવવું ઘણું અઘરું છે. કસ્તૂરવિજયજી મહારાજ : એમના ગુરુ કસ્તૂરવિજયજી મહારાજે૯૨ ઓળી કરી હતી. તેઓ વિહારમાં હોય ત્યારે માત્ર પાણી અને દાળ લેતા. તે જમાનામાં વર્ધમાન તપમાં ૯૨ ઓળી સુધી પહોંચવું એટલે ઘણું કહેવાતું. તેઓ શિખરજી પણ જઈ આવેલા. તે વખતે તેમની ઓળી ચાલુ હતી અને કેટલાય દિવસો સુધી માત્ર ચણા વાપરીને દિવસો ગુજારેલા. આવા આવા કેટલાય દીર્ઘ તપસ્વીઓનાં તપ આપણી આ પરંપરાના પાયામાં પડેલાં છે. આ સૌમાં આરાધકપણું વિશેષ હતું. Jain Education International 2010_02 For Private & Personal Use Only પ્રાચીન પરંપરાનું પુનર્જીવન : ૦ Ce www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy