SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ मग्नाताष्टकम् ९ :: અર્થ : જેને જ્ઞાનરૂપ અમૃતના સમુદ્રસમાન, પ્રપંચરહિત શુદ્ધ આત્મજ્યોતિરૂપ પરબ્રહ્મના વિષે મગ્નતા છે તેને જ્ઞાન છોડીને બીજા અનેરા અર્થ, રૂપ, રસાદિકને વિષે મનને દોડાવવું તે ઝેર જેવું લાગે છે. જેમ માલતી(ફૂલ)નો રાતો (ચાહક, મગ્ન) મધુકર (ભ્રમ૨) કેરડા ઉ૫૨ ન બેસે, તેમ અંતરંગ સુખમાં મગ્ન બાહ્ય પ્રવૃત્તિએ ચાલે નહિ. ૨ स्वभावसुखमग्नस्य जगत्तत्त्वावलोकिनः ' । कर्तृत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ।। ३ 11 बा०- स्वभावसुख क० सहजानंद तेहनइं विषई जे । मग्न छई पुरुष तेह केहवो छई । जगनुं जे । तत्त्व क० स्याद्वादशुद्ध स्वरूप तेहनो । अविलोकी क० परखीनई देखणहार तेहनइं । कर्तृत्वं० क० कर्तापणुं । न क० नथी । मृदादि भाव घटत्वपणई परिणमई तिहां कुंभकारादि साखीमात्र छें। किम अभिमान धरइ छें जे अमे घटादिभाव कर्तार छु ? अन्यभावानां क० पोतानो (ना) आत्माथी अन्य पदार्थ तेहनुं । साक्षित्वं क० साखीपणुं । अवशिष्यते क० थाकतुं रहइ छ । ३ भाषावर्गणाद्रव्य वर्णपणई परिणमई छई । ते [वर्ण] पदपणई, [पद] वाक्यपणई, वाक्य महावाक्यपणई' ते ग्रंथकार साखी मात्र छई । ते किम अभिमान धरई छई जे हुं ग्रंथकर्ता छु ? सर्व द्रव्य स्वपरिणामनो कर्तार छ । परपरिणामनो कोई कर्ता नथी, अ भावनाई अन्य भावनुं कर्तृपणुं टलई साक्षीपणुं आवई । અર્થ : સહજાનંદના વિષે મગ્ન પુરુષ કેવો છે ? જગતનું જે તત્ત્વ એટલે કે સ્યાદ્વાદ શુદ્ધ સ્વરૂપ છે તેને પારખીને તેનો દેખનાર છે, તેનું કર્તાપણું (તેને) નથી. મૃદાદ (માટી વગેરે) ભાવો ઘટત્વપણે પરિણમે ત્યાં કુંભાર વગેરે સાક્ષીમાત્ર છે. તે કેમ અભિમાન ધરે કે અમે ઘટાદિ ભાવના કર્તા છીએ ? પોતાના આત્માથી [ભિન્ન] અન્ય પદાર્થોનું સાક્ષીપણું તેને રહે છે. ૩ ભાષાવર્ગણાદ્રવ્ય વર્ણપણે પરિણમે છે, તે વર્ણ પદપણે, પદ વાક્યપણે, વાક્ય મહાવાક્યપણે (પરિણમે છે), ત્યાં ગ્રંથકાર સાક્ષીમાત્ર છે. તે કેમ અભિમાન ધરે કે ‘હું ગ્રંથકર્તા છું ?’ સર્વ દ્રવ્ય સ્વ-પરિણામનો કર્તા છે, પ૨-પરિણામનો કોઈ કર્તા નથી- એ ભાવનાથી અન્ય ભાવનું કર્તૃત્વપણું ટળીને સાક્ષીપણું આવે છે. ૨. 2, 8, 9, નાત્તાવિોનિ:; 4 ખત્તત્વાઽવહોવિનઃ ॥ ૨. પ્રત નં. 2 અને 11 માં નીચેનું લખાણ છે : "कर्म शुभाशुभ उदयग्रसित, समें समें रसलीन; साखीभूत थतां थकां देखइ ज्ञान प्रवीन । जु काहु विष नींबरस फरसें नहीं, निरविष तन जब होइ ।" इत्यादि । રૂ. 1, 4, માં વાવ્ય મહાવાવ્ય પળરૂં' શબ્દો નથી.। ૪. 1, 4, 11 એ ભાવનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy