SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ ज्ञानसार સ્નેહ = પાણી અને રાગ એમ બે અર્થ છે. આ રાગ વડવાનલ માટે ઇંધણનું કામ કરે છે. રરૂ/૨ (પ્રાત: પ... ઢોકોત્તર સ્થિતિ:I) સાધક સંસારરૂપ અટવી તરી જાય ત્યારે છછું ગુણઠાણું આવે છે. છઠ્ઠા ગુણઠાણે પહોંચ્યા પછી સંસારના સુખ-દુઃખ તેને સ્પર્શતા નથી. સંસારના નિર્ગુણ સ્વરૂપની તેને પ્રાપ્તિ થઈ જાય છે. સંસાર ઈયત્તામાં મોટો છે, ગુણવત્તામાં મોટો છે પણ તે બધું આ સાધકને સ્પર્શતું નથી. તે જળકમળવત્ રહી શકે છે. સ્ટોર રરૂ/ર (થા ચિંતામાં ર... બનારંગ. ) આ શ્લોકમાં હરા' અવ્યય દ્વારા ઘણું બધું કહી દીધું છે. જે પરિસ્થિતિ છે તે યથાતથ મૂકી દીધી છે. વ ૨૪/૧ (વર્મચક્ષુમૃતા. શાસ્ત્રક્ષs:ો) “સમયસાર'નું અવતરણ આપ્યું છે. “સમયસાર' તે દિગંબર ગ્રંથ છે. દિગંબરોના ગ્રંથમાંથી પણ ઉત્તમ તત્ત્વ સીધું જ લઈ લીધું છે. “જ્ઞાનસાર'માં સીધી સમન્વયની રીતે રજૂઆત કરીને તેઓએ આપણા ઉપર મોટો ઉપકાર કર્યો છે. ો ૨૪/૭ (શુદ્ધોછાપ.. સ્પર્શનિવારણ) શુદ્ધછીપ માં શુદ્ધ + કંઇ + મરી + પ શબ્દ છે. ઉંછ એટલે કણિયા ભેગા કરવા તે. કંદોઈ દિવસ દરમ્યાન પડીકા વાળીને જે વેચાણ કરે તે દરમ્યાન જે કંઈ થોડુંઘણું નીચે પડે તે ભૂખ્યા માણસો ભેગું કરીને લઈ લે. તેમાં ગ્રાહક કે માલિક કોઈ ના ન પાડે. જેમ ધૂળધોયાનો ધંધો સોનીની દુકાનના કચરાને ભેગો કરી તેમાંથી સોનાની ઝીણી ૨જ ભેગી કરવાનો છે તેમ ઉછ એટલે નીચે પડેલા મીઠાઈ-ફરસાણના ઝીણા કણને ભેગા કરવા તે. સાધુની ગોચરી આ પ્રકારની છે. સાધુ ગૃહસ્થોના વધારે ઘરોમાં ફરીને ગૃહસ્થને તકલીફ ન પડે તે રીતે ગોચરી લે તે ઇષ્ટ છે. કેટલાક સાધુઓ ગોચરીના નિયમોનું પાલન કરે છે પણ શાસ્ત્રજ્ઞાનું પાલન કરવામાં શિથીલ છે, સ્વછંદ છે. વ્યક્તિ ઘણી વખત સ્થળને પકડી રાખે છે અને સૂક્ષ્મનું પાલન કરતી નથી. આ બાબતને સમજાવવા માટે ભૌતમતીનું દૃષ્ટાંત આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy