SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ १८३ ઉપદેશ આપવા માટે ક્યારેક આવી ભાષા વપરાય છે. “પરાયા પૈસા વિષ્ટાસમાન છે.” એમ જ્યારે કહેવાય ત્યારે “પૈસો ખરેખર વિષ્ટા જેવો છે' એવું સમજવાનું નથી. પરાયો પૈસો એટલે અનીતિનો પૈસો. તે ન જ લેવો જોઈએ તે સમજાવવા માટે તેની સરખામણી વિષ્ટા સાથે કરી. તે જ રીતે અહીં “વિષ્ટા-મૂત્રની હાંડલી” શબ્દ વપરાયો છે તેનો ધ્વન્યર્થ લેવાનો છે. સામાન્ય રીતે પુરુષવર્ગને સ્ત્રીવર્ગ પ્રત્યે આકર્ષણ હોય છે. મોહરાજાના વર્ચસ્વથી સંસાર ચાલે છે. પરંતુ પુરુષનો જે અતિ મોહ છે તેને તોડવા માટે આવી ભાષા વાપરી છે. બાકી તેમના મત પ્રમાણે નારી તો વંદનીય જ છે. તેનો તેમણે પસંગે પ્રસંગે મહિમા જ ગાયો છે, પણ સામાન્ય વર્ગને તત્ત્વદૃષ્ટિ તરફ વાળવા માટે, બાહ્ય દૃષ્ટિનો ભ્રમ તોડવા માટે આ રીતે રજૂઆત કરી છે. વ ૨૦૩ (વિસ્તારિતીજ્ઞાન...વિં પુનઃા) ‘ક્રિયજ્ઞાન' શબ્દની સરસ સમજૂતી આપી છે. “ક્રિયા” એટલે “યોગપરિણતિ' અને “જ્ઞાન” એટલે ઉપયોગપરિણતિ'. પરિણતિ એટલે જે પરિપક્વ થઈને આચારમાં પરિણમી છે તે. સ્કોલ ૨૧૩ (નાતિવતિર્થ ... વિાંતર: 1 ) કેટલીક વખત રંક વ્યક્તિ પણ કર્મના ઉદયના કારણે રાજા બની જાય છે. તેનામાં કોઈ ઉત્તમ ચતુરાઈ હોતી નથી. ચાણક્યના સમયમાં આવી રીતે કર્મના ઉદયને કારણે નંદ રાજા થઈ ગયેલ. આ નંદ રાજાએ ચાણક્યનું અપમાન કર્યું ત્યારે ચાણક્ય પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી આ અપમાનનો બદલો ન લઉં ત્યાં સુધી મારે શિખા ન બાંધવી. તે યોગ્ય સાથીદારની શોધમાં હતો ત્યારે તેને સાથીદાર મળે છે. તે ઘાસ કાઢતી વખતે માત્ર ઉપર ઉપરથી કાઢતો ન હતો, પણ મૂળમાંથી કાઢતો હતો. ો ૨૨/રુ (અરોન.. છપસં. ) વડવાનલ એટલે દરિયામાં કે પાણીમાં જે આગ લાગે તે. દાવાનલ એટલે જંગલમાં આગ લાગે તે. બે ઝાડના ઘર્ષણથી શરૂ થયેલી આગ જંગલમાં ફેલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy