SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ ज्ञानसार ો /૭ (ગાત્મચેવાત્મનઃ સુર્યા.. નડમરૂનાન્ ) આરોગ્યની વાત કરીએ તો, તાવ સમયે નહાવાથી વિષમજ્વર થાય છે. તાવ આવ્યો હોય ત્યારે નહાવું ન જોઈએ. “જડમજ્જન'માં ‘ડ' નો “લ” કરીને અહીં જલમર્જન” શબ્દ મૂકીને શ્લેષ કર્યો છે. અવિવેકરૂપ જ્વર(તાવ)નું ઔષધ શું ? પહેલા તો અવિવેકરૂપ તાવનું કારણ જાણવું પડે. પુદ્ગલમાં મગ્ન થવાથી અવિવેકવર પેદા થાય તો તે તાવને દૂર કરવા માટે પુદ્ગલ સાથેનું મગ્નપણું દૂર કરીને આત્મા સાથે સંબંધ સ્થાપિત કરવો પડે અને આત્મા, આત્માને, આત્માથી, આત્મા માટે, આત્મામાં, આત્મા વિષે જાણે એટલે કે આત્માના છ કારકો સાથે સંગતિ કરે તો અવિવેકરૂપ તાવ જતો રહે. આમ ષકારકસંગતિ તે અવિવેકનું ઔષધ છે. આત્માના આ છે કારકો ટબામાં સમજાવ્યા છે. (૧) આત્મા સ્વંત્રપણે જાણવાની ક્રિયા કરે છે, માટે આત્મા કર્તા છે. (૨) જ્ઞાનાનુવિદ્ધ એટલે જ્ઞાનથી અનુવિદ્ધ = વીંધાયેલું. જે નિર્વત્યે વિકાર્ય બને તે કર્મ બને. (૩) સાધક એટલે કાર્યની સિદ્ધિ કરાવનાર. સાધકતમ એટલે તેની ઉચ્ચતમ કક્ષા. એટલે જેના વિના કાર્યની સિદ્ધિ ન થાય તે સાધકતમ. એક વસ્તુમાં એકાગ્ર થવા માટે સાધકતમ હોવાથી આત્માને કરણ કહ્યું. (૪) પોતે જ શુભ પરિણામો આપવા યોગ્ય છે એટલે કે દાતા બની શકે તેમ છે એટલે સંપ્રદાન છે. (૫) પૂર્વપૂર્વના એટલે પહેલાના જ્ઞાનપર્યાયથી ઉત્તરોત્તર એટલે પછીના જ્ઞાનપર્યાય સારા છે, વિશુદ્ધ છે તેથી અપાદાન છે (‘થી' આવ્યું એટલે પંચમી વિભક્તિ) જૈન પરંપરા પ્રમાણે જ્ઞાનપર્યાય ઉત્તરોત્તર વિશુદ્ધ થાય છે (૬) કટક (કડું), કુંડલ (બુટ્ટી) વગેરેનો સામાન્ય આધાર જેમ સોનું છે તેમ આત્મા વિશેષ પર્યાયોનો આધાર છે, માટે અધિકરણકારક (આધાર) પણ બને છે. આ અભેદે ષકારક સંગતિનું વ્યાખ્યાન કર્યું (વખાણી). નય પંડિતે અન્ય રીતે (અન્ય નયોથી) પણ વ્યાખ્યાન કરવું, વિસ્તાર કરવો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy