SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ १७३ તેના ટબામાં છેલ્લું વાક્ય સરળતાથી શ્લોકના અર્થને, તેના ભાવને સમજાવી જાય છે. “લેપ ટાળવા અભ્યાસને અવલંબે છે.” તેનો અર્થ થાય કે જેણે લેપ ટાળવો હોય તેણે અભ્યાસ કરવો જોઈએ, અભ્યાસનો અહીં અર્થ છે, પુનઃ પુનઃ કરવું તે, ફરી ફરીને કરવું તે. લેપદશામાંથી નિર્લેપ થવા માટે વારંવારનો પ્રયત્ન જરૂરી છે. વારંવાર ક્રિયા કરવાથી ક્રિયાવાન શુદ્ધ થાય છે. જ્ઞાનસારમાં ક્યાંક ક્યાંક જે ભાષામાં અર્થ લખ્યો છે તેમાં શબ્દના મૂળ અર્થ (વાચ્યાર્થીને બદલે તેના તાત્પર્યાર્થીને પકડવાનો છે. “સાંજના સમયે ગાયો દોહવાતી હતી ત્યારે” એમ જ્યારે શબ્દો બોલાય છે ત્યારે સમયને નિશ્ચિત કરવા માટે લગભગ સૂર્યાસ્ત વેળાએ' એવું સૂચવવા “ગાયો દોહવાતી હોય ત્યારે એમ કહેવાય છે. અહીં શબ્દથી જે તાત્પર્યાર્થ સૂચવાય છે તે અગત્યનો છે. તે જ રીતે આ શ્લોકમાં પણ લેપ ટાળવા અભ્યાસનો આધાર લે છે એનો તાત્પર્યાર્થ એ છે કે કર્મથી લેપાવાનું ટાળવા માટે અભ્યાસ કરે છે, એટલે કે ફરીફરીને ક્રિયા કરે છે. જે જ્ઞાની છે તે તો અલિપ્ત જ છે. તે જે ક્રિયા કરે છે તેમાં રાગ, દ્વેષ, મોહ, મમતા ભળેલા નથી એટલે તેને માટે તો અલિપ્ત દૃષ્ટિ સ્વાભાવિક છે. તે જે ક્રિયા કરે છે તે તેને ચોંટતી નથી એટલે તે અલિપ્ત રહે છે. આમ જ્ઞાની અલિપ્તદષ્ટિથી અને ક્રિયાવાન લિપ્તદષ્ટિથી શુદ્ધ થાય છે. વક શરૂ/૨ (મતે ય નત્તિત્ત્વ.... સત્ત્વવ વ ) બીજી લીટી છે ‘સર્વત્વમેવ તન્મોનું મૌનું સખ્યત્વે વા !' તેનો અર્થ છે “સમ્યકત્વ તે જ મૌન, મૌન તે જ સમ્યત્વ. અહીંયા “ગત-પ્રત્યાગત' સૂત્ર છે. ગત એટલે ગયું, પ્રત્યાગત એટલે પાછું ફર્યું. સમ્યક્તનો અર્થ મૌન કર્યો અને મૌનનો અર્થ પાછો સમ્યકત્વ જ કર્યો. હવે સમ્યકત્વ શું છે? તો તે સમ્યજ્ઞાન છે. અર્થાત્ જે સમ્યગુજ્ઞાન છે તે મૌન છે અને મૌન છે તે જ સમ્યગુજ્ઞાન છે. મત પર્વ કહીને જણાવે છે કે “બધા શબ્દો ક્રિયાવચન એવો એવંભૂતનયનો અભિપ્રાય છે.” એટલે કે તમે જે શબ્દ વાપરો તેને અનુરૂપ ક્રિયા થતી હોય ત્યારે તે શબ્દ બરોબર ગણાય દા. ત. સિંહાસન ઉપર બેઠેલ હોય ત્યારે જ તે રાજા કહેવાય, સિંહાસન ઉપરથી ઉતરે તે પછી રાજા ન કહેવાય. તે જ રીતે જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy