SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानसार १७२ નથી. છતાં જ્ઞાનધારાના અવરોહ (ઓટ) વખતે જો તેનું (આવશ્યક ક્રિયાનું) આલંબન લેવામાં ન આવે તો નિરાલંબન ધ્યાનની ધારા તૂટી જાય છે. પરમાનંદની અનુભૂતિમાં અંતરાય ઉભો થાય છે. આ કારણથી એક વિશુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મય સાધકને અંતરંગ ક્રિયા (સ્વભાવ-રમણતારૂપ ક્રિયા) જ પરમ વિશુદ્ધિને ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે. પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી ‘નિર્લેપપણાના જ્ઞાનમાં મગ્ન થયેલા આત્માને આવશ્યકાદિ સર્વ ક્રિયાઓ લિપ્તપણાના જ્ઞાનના આગમનના નિવારણ માટે ફક્ત ઉપયોગી થાય છે.' અહીં પ્રશ્ન કરવામાં આવે છે, જે નિર્લેપ જ્ઞાનમગ્ન છે તેને તો કોઈ ક્રિયા કરવાની રહેતી નથી, કારણ કે જે કોઈ ક્રિયાઓ છે તે બધી નિર્લેપતાના જ્ઞાન માટે જ છે. જો તે નિર્લેપ થઈ જ ગયેલ છે તો પછી એમને ક્રિયાની શી જરૂર? એનો ઉત્તર એ છે કે, નિર્લેપ જ્ઞાનવાળા આત્મા પણ પ્રારંભિક કક્ષાના, મધ્યમ કક્ષાના તથા ઉત્કૃષ્ટ કક્ષાના હોય છે. તેમાં પ્રારંભિક કક્ષાના જ્ઞાનવાળા આત્માને ‘હું કર્મના લેપથી લેપાયેલો છું એ મુજબનું લિપ્તતાનું જ્ઞાન ન થઈ જાય તેને રોકવા માટે એમને પણ ક્રિયાની આવશ્યકતા છે જ. શ્લોકમાં આવેલ “સમ્માત' શબ્દ થોડો અઘરો લાગે છે, પણ તેનો અર્થ આગમન છે અને “પ્રતિઘાતનો અર્થ નિવારણ કે નાશ કરવામાં આવ્યો છે. એટલે નિર્લેપ જ્ઞાનમગ્ન આત્માની પણ જે અલગ અલગ કક્ષાઓ છે તેમાં સાધનાકાળમાં વર્તમાન એવો સાધક નિર્લેપ જ્ઞાનનો અભ્યાસી તો છે જ, પણ તે પ્રાથમિક છે. તેને લિપ્તતાના જ્ઞાનના આગમનની શક્યતા છે, તેને રોકવા માટે ક્રિયા જરૂરી છે. પૂ. કીર્તિચંદ્રવિજયજી – તીથલ હું નિર્લેપ (લેપરહિત) આત્મદ્રવ્ય છું એવા જ્ઞાનમાં મગ્ન વ્યક્તિને કેવળ (વચ્ચે વચ્ચે) લિપ્તતાનું “હું કર્મથી લેપાયેલો છું તે જ્ઞાન આવી પડે છે. ત્યારે એ ભ્રમાત્મક) જ્ઞાનથી તે મૂળ સ્થિતિમાંથી પડે છે. તે સમયે એને પડતો રોકવા માટે બધી ક્રિયા જરૂરી છે. સ્ક્રોઇ ૨/૬ (ટિમો નિશ્ચનાત્મી.... વિવાન્ પિયા દશા) ત્રિા: કહેતાં “લીંપાણો.” લેપાયો કહેવા માટે તે સમયે “લીંપાણી' વપરાતું હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy