SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ ૧૭૧ નિર્લેપ જ્ઞાનની સ્થિતિએ પહોંચનાર પણ ક્રિયાનો ઉપયોગ કરે છે. “લિપ્ત છું” એવું જ્ઞાન ક્યારેક હૃદયમાં (સ્કૃતિનો તાર તૂટી જવાથી) સ્થાન લઈ લે ત્યારે તેના પ્રતિકાર અર્થે જ કેવળ નિર્લેપ જ્ઞાનીને પણ સર્વ પ્રકારની ક્રિયા ઉપયોગી બને છે. લિપ્તતા આવી હોય તો તેને દૂર કરવા અને આવતી અટકાવવા – એમ બંને હેતુથી ક્રિયા ખપ લાગે છે. અહીં ક્રિયા એટલે આવશ્યકાદિ અથવા તપ-જપાદિ જ ન સમજવા. “જે કાંઈ આત્મલક્ષ્મ-જ્ઞાનોપયોગની શુદ્ધિ અર્થે કરાય તે ક્રિયા” એવો વિશાળ અર્થ લેવો ઘટે. દા. ત. જાગૃતિ મંદ પડતી લાગે તો સત્સંગમાં રહે, શ્લોકપદ-મંત્રાદિનું રટણ કરે, નિમિત્તોથી દૂર રહે, સ્વાધ્યાય, વ્રતાદિ બધું આમાં આવી જાય. પ.પૂ. આ. ભ. શ્રીકલાપૂર્ણસૂરિજી અર્થ - “આત્મા નિર્લેપ છે” એવા નિર્લેપજ્ઞાનની ધારામાં મગ્ન થયેલા યોગીને આવશ્યકાદિ સર્વ ક્રિયાઓ કેવળ “આત્મા કર્મબદ્ધ છે' એવા લિપ્તપણાના જ્ઞાનના (સંપાત) આગમનનું નિવારણ કરવા માટે ઉપયોગી છે. | વિવેચન - “મારો આત્મા અલિપ્ત છે એવા ભાવનાજ્ઞાનથી ભાવિત બનેલા યોગીને કર્મબંધની કોઈ સંભાવના ન હોવાથી આવશ્યકાદિ અનુષ્ઠાનોની શી આવશ્યકતા છે? આ પ્રશ્નના સમાધાનમાં અહીં ગ્રંથકારશ્રી જણાવે છે કે નિર્વિકલ્પ ધ્યાનદશામાં આરૂઢ થયેલ યોગીને તે સમયે આવશ્યકાદિ ક્રિયાની જરૂર નથી, પરંતુ તે સમાધિદશામાંથી ખસી વ્યુત્થાનદશામાં આવે છે ત્યારે યોગીને ‘હું કર્મથી બદ્ધ” છું એવી લિપ્તદષ્ટિના વિચારોથી અટકાવવા આવશ્યકાદિ અનુષ્ઠાનો મહાન ઉપયોગી છે. તેમજ વિશુદ્ધ ધ્યાનના અખ્ખલિત પ્રવાહથી પડતા બચાવવા માટે પણ આ આવશ્યકાદિ અનુષ્ઠાનો પરમ ઉપકારી બને છે. (૧) આવશ્યક ક્રિયાને બાહ્યભાવ કે વ્યવહારમાત્ર માની મૂકી દેવામાં આવે કે તેમાં શિથિલતા આવે તો આત્મધ્યાનથી ભ્રષ્ટ બની, આત્મા રાગાદિ વિભાવના વમળમાં અટવાઈ જાય છે, કારણ કે ધ્યાનની ટોચ કક્ષાએ પહોંચેલા યોગીને પણ પતનની સંભાવના હોય છે. તે સમયે આ આવશ્યક ક્રિયાઓ રક્ષણની ગરજ સારે છે. એટલા માટે દરેક સાધકે પોતાની ભૂમિકાને ઉચિત ક્રિયાઓ તરફ જરાપણ બેદરકારી રાખવી ન જોઈએ. (૨) “મારો આત્મા કર્મબદ્ધ નથી આવા અલિપ્ત જ્ઞાનનો ધારાબદ્ધ પ્રવાહ નિર્વિકલ્પ સમાધિમાં ચાલતો હોય છે. તે સમયે આવશ્યકાદિ ક્રિયાની જરૂર રહેતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy