SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬ દૃષ્ટિ તત્ત્વને જોનારી હોય છે તે વાત “તત્ત્વદૃષ્ટિ-અષ્ટક' માં જુદી જુદી રીતે કરી છે. બાહ્ય દૃષ્ટિવાન વ્યક્તિ ગામ, બગીચા, સ્ત્રી, શરીર, રાજમંદિર, મહાત્મા વગેરેના બાહ્યસ્વરૂપથી મોહિત થઈને પૌગલિક મોહ પામે છે, જ્યારે તત્ત્વદૃષ્ટિવાન વ્યક્તિ આ જ વસ્તુઓના આંતરિક સ્વરૂપને, સત્ત્વને જાણીને વર્તે છે. આ રીતે દરેક બાબતને તત્ત્વથી જોનાર વ્યક્તિ તેના બાહ્ય સ્વરૂપને બદલે આંતરિક સ્વરૂપને જાણે છે અને તેથી જ તે સર્વસમૃદ્ધિવાન બને છે – આ વાત “સર્વસમૃદ્ધિ-અષ્ટકમાં કરવામાં આવી છે. ઇન્દ્ર, ચક્રવતી, શેષનાગ, મહાદેવ, કૃષ્ણ, બ્રહ્મા, અરિહંત વગેરેની સમકક્ષ અથવા તો તેથી વધારે સમૃદ્ધિ તત્ત્વદૃષ્ટિવાન ધરાવે છે તે વાત ફેરવી ફેરવીને અહીં કરવામાં આવી છે. કર્મને લગતી વાત લઈને આવે છે ‘કર્મવિપાક ધ્યાન-અષ્ટક' સાચો સાધુ સુખમાં છકી જતો નથી કે દુઃખમાં દીન થઈને બેસી જતો નથી. કર્મ પાકતાં તેનાં ફળ ભોગવવાં પડે તે જાણી તે સમભાવપૂર્વક જીવે છે. સંસારમાં જીવનાર સાધકને માટે સંસાર અનેક રીતે સમુદ્ર જેવો દુષ્કર છે તે વાત ‘ભવોઢેગ-અષ્ટક' માં ઉપાધ્યાયજી મહારાજે કરી છે. સાધક મુનિ પોતાના ચારિત્રમાં એકાગ્ર હોય છે. સંસારસાગરના ઝંઝાવાતોથી આવતા ઉગોથી સાધક મુક્ત રહે છે. આવો નિર્ભય સાધક ગાડરિયા પ્રવાહમાં વહીને લોકો કરે તે પ્રવૃત્તિ કરવાને બદલે સાચી હોય તે પ્રવૃત્તિ કરવી એવી હિંમત ધરાવે છે. નદીના સામા વહેણમાં તરતી વખતે જેવી મુશ્કેલીઓ પડે તેવી મુશ્કેલીઓનો સામનો પણ ઘણી વખતે સાધકે કરવો પડે છે તે વાત અહીં લોકસંજ્ઞાત્યાગ-અષ્ટકમાં કરવામાં આવી છે. સાધક વ્યક્તિને લોકો તેની પ્રશંસા કરે કે નિંદા કરે તેની પણ પરવા હોતી નથી. હિંમતપૂર્વક તે પોતાના સાધનામાર્ગને ગમે તે પરિસ્થિતિમાં વળગી જ રહે છે. સાધક પોતે જ આચરણ કરે છે તેને શાસ્ત્રનો આધાર પણ હોય છે આ વાત “શાસ્ત્રઅષ્ટક' માં રજૂ થઈ છે. “પંડિતોએ શાસન પરથી અને ત્રાણ પરથી “શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરી છે.” (૨૪/૩) અર્થાત્ “શાસ્ત્ર” બે કામ કરે છે : એક તો, તે “શાસન' કરે છે અને બીજું, તે “ત્રાણ' એટલે કે “રક્ષા' પણ કરે છે. “શાસન કરે છે એનો અર્થ એ થાય કે, તે માર્ગદર્શન, ઉપદેશ, શિક્ષા આપીને માર્ગ બતાવે છે અને નિયમન પણ કરે છે. શાસ્ત્ર'નો આવો ટૂંકો પણ સચોટ અર્થ બતાવીને “શાસ્ત્ર' એટલે “વીતરાગનું વચન” એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગમે તેવા સમર્થ માનવીને અજાણ્યા પ્રદેશમાં જતી વખતે તે પ્રદેશ અંગેના જ્ઞાનની મદદ મળે તો તેને તે જ્ઞાન ઉપયોગી બને છે. આ જ રીતે સાધકને માટે અદૃષ્ટ વિષયોમાં પ્રવેશ માટે શાસ્ત્ર દીવાનું કામ કરે છે, તેથી શાસ્ત્રોને “સાધુનાં (સાધકનાં) ચક્ષુ' કહેવામાં આવે છે. દીવાના અભાવમાં જેમ અંધારામાં ઠોકરો ખાવી પડે તેમ શાસ્ત્રના અભાવમાં સાધનામાર્ગમાં મુશ્કેલીઓ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy