SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પોતાની શક્તિઓના બિનજરૂરી વ્યયને રોકી સાધક ‘આત્મા નિત્યતા, શુચિતા ધરાવે છે' એ વિદ્યાને આત્મસાત્ કરે છે. એમ જણાવીને વિધા-અષ્ટક' માં વધુમાં જણાવ્યું છે, કે વિદ્યાવાન સાધક લક્ષ્મી, આયુષ્ય, શરીર વગેરેની ક્ષણભંગુરતાને જાણીને આવી વિનાશશીલ બાબતોમાં ક્યારેય મારાપણાની ભાવનાનું આરોપણ કરતો નથી. તેઓ જણાવે છે કે મિથ્યાજ્ઞાન કે અવિદ્યા દૂર થતાં અને સમ્યજ્ઞાન કે વિદ્યા પ્રાપ્ત થતાં વ્યક્તિ આત્મામાં પરમાત્માને જુએ છે. (૧૪/૮) શરીર અને આત્મા જુદાં હોવા છતાં અવિદ્યાવાન તે બંનેને એક માનીને પોતાનો ઘણો વ્યવહાર ગોઠવે છે, પરંતુ હકીકતે આ શરીર અને આત્મા જુદા એવું ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન સાધક માટે જરૂરી છે, એ વાત વિવેક-અષ્ટક' માં કહેવાઇ છે. સાધક વ્યક્તિ પોતાના વિવેકજ્ઞાન વડે હંસની જેમ નીરક્ષીરન્યાયે જીવ અને કર્મ, આત્મા અને દેહ અલગ અલગ તારવી શકે છે. આ બધાંને આવો વિવેક જેનામાં આવે તે વ્યક્તિ મધ્યસ્થભાવ રાખીને રાગ-દ્વેષમાં તણાવાને બદલે પોતાના આત્મભાવમાં જ સ્થિર થાય છે, આ વાત આ કૃતિની લગભગ મધ્યમાં આવેલ ‘માધ્યસ્થ્ય-અષ્ટક' માં કરવામાં આવી છે. પોતાને જે વિવેકયુક્ત મધ્યસ્થદૃષ્ટિ પ્રાપ્ત થયેલ છે, તેનાથી સાધક સ્વસિદ્ધાંતનો સ્વીકાર અને પરસિદ્ધાંતનો ત્યાગ રાગ કે દ્વેષ વગર કરે છે. જુદા જુદા માર્ગોએ વહેતી નદીઓ છેવટે સાગરને મળે છે, તેમ મધ્યસ્થ વ્યક્તિના જુદા જુદા માર્ગો પણ છેવટે તો અક્ષય બ્રહ્મને જ મળે છે. ‘(વિવિધ નયોમાં) જેનું મન સમસ્વભાવવાળું છે તે મહામુનિ મધ્યસ્થ છે” (૧૬/૩) જેવી ટૂંકી પણ સચોટ વાત આ અષ્ટકમાં રજૂ થઇ છે. આત્મધ્યાનરત સાધકને ભય શેનો? સાંસારિક સુખ ભયયુક્ત હોય, બાકી જ્ઞાનનું સુખ તો ભયરહિત જ હોય આ વાત ‘નિર્ભય-અષ્ટક'ના આઠ શ્લોકોમાં જુદી જુદી રીતે સાધક સમક્ષ મૂકવામાં આવી છે. સાધકને અનુભૂતિથી જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ચોરાઇ જવાનો, લૂંટાઇ જવાનો કોઇ જ ભય નથી. જ્ઞાનીને કોઇથી ભય નથી અને કોઇ પણ વ્યક્તિને જ્ઞાનીથી ભય નથી. - અઢારમા ‘અનાત્મશંસા-અષ્ટક' માં પહેલા જ શ્લોકમાં સચોટ દલીલ રજૂ કરતાં કહેવાયું છે, “જો તું ગુણોથી પૂર્ણ નથી તો આત્મપ્રશંસા કરવાથી કાંઇ નહીં વળે, અને જો તું ગુણોથી પૂર્ણ છે તો આત્મપ્રશંસાની કોઇ જરૂર નથી' (૧૮/૧) સાધક વ્યક્તિ વિચારે છે કે વૃક્ષના મૂળની જેમ પોતાના ગુણો જો પ્રગટ થઇ જાય તો તે પોતાના વિકાસને અવરોધે છે. જ્યારે વ્યક્તિને ગુણોનું અભિમાન આવી જાય ત્યારે મહાપુરુષોના ગુણોને યાદ કરીને સાધકે પોતાની ન્યૂનતા તરફ દૃષ્ટિ કરવી જોઇએ. જેનામાં વિવેક હોય, મધ્યસ્થતા હોય, સમ્યક્ દૃષ્ટિથી મેળવેલ વિદ્યા હોય તે સાધકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy